Ganesh Chaturthi 2026: દેશભરમાં ગણેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે ત્યારે પીએમ મોદી, રાષ્ટ્રપતિ મુર્મુ સહિતના નેતાઓએ દેશવાસીઓના આરોગ્ય, શાંતિ અને રાષ્ટ્રની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી અને સોશ્યલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ દેશવાસીઓને આપી ગણેશ ચતુર્થીની શુભેચ્છા (તસવીર સૌજન્યઃ એઆઇ)
ગણેશ ચતુર્થીના (Ganesh Chaturthi 2026) પાવન પર્વ નિમિત્તે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi), રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Droupadi Murmu) સહિત અને અનેક અગ્રણી નેતાઓએ દેશ-વિદેશમાં વસતા તમામ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. દેશવાસીઓની સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરતા નેતાઓએ આ પવિત્ર તહેવારમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રનિર્માણ અને સામૂહિક પ્રગતિ માટે પોતાને સમર્પિત કરવા આહ્વાન કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ નવી ઊર્જા અને સફળતા માટે કરી પ્રાર્થના
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર વિઘ્નહર્તા ભગવાન વિનાયકના એક સંસ્કૃત શ્લોક સાથે દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી હતી.
‘તમામ નાગરિકોને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. વિઘ્નહર્તાની પૂજા-અર્ચનાનો આ પવિત્ર ઉત્સવ દરેકના જીવનમાં નવી ઊર્જા અને નવો ઉત્સાહ સંચારે’, વડાપ્રધાને લખ્યું હતું. તેમણે વધુમાં પ્રાર્થના કરી હતી કે, ભગવાનના આશીર્વાદથી તમામ પ્રયાસો સફળ થાય અને દેશ સતત પ્રગતિના પંથે આગળ વધતો રહે.
देशवासियों को गणेश चतुर्थी की अनंत शुभकामनाएं। विघ्नहर्ता के दर्शन और पूजन का यह पावन पर्व सबके जीवन में नई ऊर्जा और नए उत्साह का संचार करे। उनके दिव्य आशीर्वाद से सभी के प्रयास सफल हों और राष्ट्र निरंतर प्रगति के पथ पर आगे बढ़ता रहे, यही कामना है। गणपति बाप्पा मोरया!… pic.twitter.com/5biHnkWHJ4
— Narendra Modi (@narendramodi) September 14, 2026
રાષ્ટ્રપતિ મુર્મુનું રાષ્ટ્રનિર્માણ માટે સંકલ્પ લેવા આહ્વાન
પોતાના સત્તાવાર સંદેશામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, ‘ભગવાન ગણેશ બુદ્ધિ, સમૃદ્ધિ અને શુભ કાર્યોના પ્રતિક છે. આ પવિત્ર તહેવાર આપણને જીવનમાં નવા સંકલ્પો સાથે પ્રગતિના પંથે આગળ વધવાની પ્રેરણા આપે છે. હું પ્રાર્થના કરું છું કે ભગવાન ગણેશ દરેકના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ લાવે. ચાલો આપણે સૌ સાથે મળીને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ લઈએ.’
On the auspicious occasion of Ganesh Chaturthi, I extend my heartfelt greetings and best wishes to all Indians living in the country and abroad. pic.twitter.com/lHIqQyqpy9
— President of India (@rashtrapatibhvn) September 14, 2026
મંત્રીઓ અને મુખ્યમંત્રીઓએ પાઠવી ગણેશોત્સવની શુભકામનાઓ
આ પાવન પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari)એ X પર પોસ્ટ કર્યું, ‘શ્રી ગણેશ ચતુર્થીના શુભ પર્વ પર હાર્દિક શુભેચ્છાઓ. વિઘ્નહર્તા તથા જ્ઞાન અને બુદ્ધિના દેવતા ભગવાન ગણેશના આશીર્વાદ હંમેશા સૌ પર બની રહે. ગણપતિ બાપ્પા મોર્યા!’
?ॐ गं गणपतये नम:?
— Nitin Gadkari (@nitin_gadkari) September 13, 2026
?श्री गणेश चतुर्थी? के पावन पर्व की हार्दिक शुभकामनाएं।??
ज्ञान और बुद्धि के देवता विघ्नहर्ता श्री गणपती बाप्पा की कृपा सदैव सभी पर बनी रहें।??
गणपती बाप्पा मोरया!???#GaneshChaturthi #GanpatiBappaMorya#गणेशोत्सव2026#Ganeshotsav2026 pic.twitter.com/S1sNvpnfot
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)એ પણ ભક્તોને શુભકામનાઓ આપી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભગવાન ગણેશની કૃપાથી લોકોના તમામ સંકલ્પો પૂર્ણ થાય અને જીવનમાંથી તમામ વિઘ્નો દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી. તેમણે લખ્યું હતું કે, ‘અવરોધો દૂર કરનાર અને શુભતાના આશ્રયદાતા ભગવાન શ્રી ગણેશની પૂજાના પવિત્ર તહેવાર શ્રી ગણેશ ચતુર્થી પર તમામ ભક્તો અને રાજ્યના લોકોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. ગણપતિ બાપ્પાની કૃપાથી દરેક અવરોધ દૂર થાય, દરેક સંકલ્પ પૂર્ણ થાય અને દરેક જીવન સુખ, સમૃદ્ધિ અને મંગલમયતાથી છલકાય - એ જ પ્રાર્થના. ગણપતિ બાપ્પા મોરિયા.’
विघ्नहर्ता, मंगलकर्ता भगवान श्री गणेश की उपासना के पावन पर्व `श्री गणेश चतुर्थी` की सभी श्रद्धालुओं और प्रदेश वासियों को हार्दिक बधाई एवं शुभकामनाएं।
— Yogi Adityanath (@myogiadityanath) September 14, 2026
गणपति बप्पा की कृपा से हर विघ्न मिटे, हर संकल्प सिद्ध हो और प्रत्येक जीवन सुख, समृद्धि व मंगल से भर उठे, यही प्रार्थना है।… pic.twitter.com/PTSXFlpvcu
લોકસભાના સ્પીકર ઓમ બિરલા (Om Birla)એ પણ નાગરિકોને જ્ઞાન, સદ્બુદ્ધિ અને સદ્ભાવનાના માર્ગે આગળ વધવા વિનંતી કરી હતી.
विघ्नहर्ता, मंगलमूर्ति भगवान श्री गणेश जी की आराधना के पावन पर्व गणेश चतुर्थी की हार्दिक शुभकामनाएँ।
— Om Birla (@ombirlakota) September 14, 2026
भगवान श्री गणेश जी से प्रार्थना है कि वे सभी के जीवन से विघ्न-बाधाएँ दूर कर सुख, शांति, समृद्धि और आरोग्य प्रदान करें। उनका आशीर्वाद राष्ट्र की प्रगति और जनकल्याण के हमारे संकल्प… pic.twitter.com/FeMTZBxF4d
કોંગ્રેસના રાષ્ટ્રીય અક્ષ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ પણ ગણેશ ચતુર્થીના પાવન અવસરે દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પોતાના સંદેશમાં તેમણે દેશના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન આ તહેવાર દ્વારા જનજાગૃતિ લાવવામાં મહાન સ્વતંત્રતા સેનાની લોકમાન્ય બાલ ગંગાધર ટિળકની ઐતિહાસિક ભૂમિકાને યાદ કરી હતી. તેમણે લખ્યું કે, ‘મહાન સ્વતંત્રતા સેનાની લોકમાન્ય બાલ ગંગાધર ટિળકજીએ ગણેશોત્સવને સામાન્ય જનતા સાથે જોડીને સ્વતંત્રતાની લડતમાં એકતા અને જનજાગૃતિનું એક શક્તિશાળી માધ્યમ બનાવ્યું હતું. આ પવિત્ર તહેવાર આપણામાં સ્વતંત્રતા સંગ્રામની એકતા અને સામૂહિક સંકલ્પની ભાવનાને હંમેશા જીવંત રાખે અને આપણને પ્રેમ, સદ્ભાવના અને ભાઈચારા પ્રત્યે સમર્પિત થવાની પ્રેરણા આપતો રહે.’
सभी देशवासियों को श्री गणेश चतुर्थी के पावन पर्व की हार्दिक शुभकामनाएँ।
— Mallikarjun Kharge (@kharge) September 14, 2026
महान स्वतंत्रता सेनानी लोकमान्य बाल गंगाधर तिलक जी ने गणेशोत्सव को जन-जन से जोड़कर इसे स्वतंत्रता संग्राम में एकता और जनजागरण का सशक्त माध्यम बनाया।
आशा है कि यह पावन उत्सव हमारे भीतर स्वतंत्रता आंदोलन की… pic.twitter.com/0TbQyaG9cs
૧૦ દિવસીય ગણેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ
ભગવાન ગણેશના પ્રાકટ્ય પર્વ નિમિત્તે ઉજવાતો ગણેશોત્સવ સમગ્ર દેશમાં, ખાસ કરીને મહારાષ્ટ્રમાં ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ભક્તોએ ઘરોમાં તેમજ સાર્વજનિક મંડળોમાં ભગવાન ગણેશની મનોહર મૂર્તિઓની સ્થાપના કરી છે. ૧૦ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં દૈનિક આરતી, પૂજા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેનો ૨૫ સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન સાથે સંપન્ન થશે.
