કર્ણાટકમાં ફરી નાટક શરૂ, યેદિયુરપ્પાની વિકેટ ખેરવવાની તૈયારી?
યેદિયુરપ્પા
કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાનું સ્થાન જોખમમાં હોવાની અટકળો ફરી તેજ બની હતી. કર્ણાટકના પાંચ પ્રધાનોએ આ મુદ્દે ગઈ કાલે રાત્રે એક બેઠક યોજી હતી અને યેદિયુરપ્પા જાય તો તેમના વિકલ્પરૂપે કોણ મુખ્ય પ્રધાન બને એની ચર્ચા કરી હતી.
કર્ણાટકમાં છેલ્લા ઘણા દિવસથી એવી વાતો ચાલી રહી હતી કે યેદિયુરપ્પાની વિદાય નિશ્ચિત છે. જોકે આ અટકળો પાછળ કયું પરિબળ કામ કરી રહ્યું હતું એ સ્પષ્ટ નહોતું. અત્યારે કર્ણાટકમાં પણ કોરોનાના અસંખ્ય કેસ બની રહ્યા છે. રાજ્યના સિનિયર પ્રધાન સુધાકરના બંગલે ગઈ રાત્રે પાંચ પ્રધાનોએ બેઠક યોજીને ચર્ચા કરી હતી.
આ બેઠકમાં સુધાકર ઉપરાંત બી. એસ. પાટીલ, આનંદ સિંહ, સોમશેખર અને (અપક્ષ ધારાસભ્ય) નાગેશ હાજર હતા.