Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 83,341 કેસ, 1,096 દર્દીઓનાં મોત
કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે (તસવીર સૌજન્ય: પીટીઆઈ)
દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા આંકડાઓએ વધુ એક નવો રેકૉર્ડ બનાવ્યો છે. સતત બીજા દિવસે દેશમાં 80,000થી વધુ કેસ નોંધાયા છે. શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 83,341 નવા કેસ નોંધાયા છે અને 1,096 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 39,36,747 કેસ થઈ ગયા છે. જેમાંથી 8,15,538 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 30,37,151 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં 66,659 લોકો સાજા થયા છે. દેશમાં સાજા થવાનો દર 77.1 ટકાએ પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 68,472 લોકો મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 18,105 નવા કેસ નોંધાયા છે અને 391 લોકોના મોત થયા છે. જ્યારે 13,988 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 8,43,844 થઈ ગયો છે. તેમાંથી 2,05,774 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 25,586 લોકો મૃત્યુ પામ્યા છે અને 6,12,484 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1,325 નવા કેસ નોંધાયા હતા અને 16 લોકોના મોત થયા હતા. જ્યારે 1,126 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,00,375 થઈ ગયો છે. જેમાંથી 16,096 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,064 લોકોના મોત થયા છે અને 81,055 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં બીજી સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના 4,66,79,145 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે બુધવારે 11,72,179 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ સંખ્યા વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.