Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાષ્ટ્રપતિની જાતિને ટાંકીને ઉશ્કેરણીજનક નિવેદનો કરવા બદલ કેજરીવાલ અને ખડગે વિરુદ્ધ ફરિયાદ

રાષ્ટ્રપતિની જાતિને ટાંકીને ઉશ્કેરણીજનક નિવેદનો કરવા બદલ કેજરીવાલ અને ખડગે વિરુદ્ધ ફરિયાદ

27 May, 2023 01:57 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શનિવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


શનિવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal), કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અને અન્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ નવા સંસદ ભવન (New Parliament)ના ઉદ્ઘાટનના આયોજનના સંબંધમાં છે. એવો આરોપ છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની જાતિ રાજકીય ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે ટાંકવામાં આવી હતી, જેનાથી સમુદાયો/જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન મળે છે. ઉશ્કેરણીજનક નિવેદનો પણ આપવામાં આવ્યા હતા, જે IPCની કલમ 121,153A, 505 અને 34 હેઠળ અપરાધની શ્રેણીમાં આવે છે.

ખડગેએ એકસાથે 4 ટ્વીટ કર્યા



વાસ્તવમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ ન આપવા બદલ સરકાર પર પ્રહારો કર્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ એક પછી એક 4 ટ્વીટ કરીને સરકારને ઘેરી હતી અને કહ્યું હતું કે એવું લાગે છે કે મોદી સરકાર માત્ર ચૂંટણીના કારણોસર દલિત અને આદિવાસી સમુદાયમાંથી રાષ્ટ્રપતિ બનાવે છે. ખડગેએ કહ્યું કે જ્યારે શિલાન્યાસ કરવામાં આવ્યો ત્યારે તત્કાલિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. હવે ઉદ્ઘાટનના કાર્યક્રમમાં દ્રૌપદી મુર્મુને આમંત્રણ આપવામાં આવ્યું નથી.


મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશના પ્રથમ નાગરિક છે. તે એકલા સરકાર અને વિપક્ષ તેમ જ દરેક નાગરિકનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું કે જો રાષ્ટ્રપતિ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરે તો તે લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતીક હોત.

કેજરીવાલે કહી આ વાત


તે જ સમયે, સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે દલિત સમાજ પૂછે છે કે શું તેમને અશુભ માનવામાં આવે છે, તેથી જ તેમને બોલાવવામાં આવતા નથી. આમ આદમી પાર્ટીના સ્તરે પણ આ મામલે ભાજપ અને મોદી સરકાર પર સવાલો ઊઠી રહ્યા છે.

આ પણ વાંચો: ૭૫ રૂપિયાનો ખાસ સિક્કો લૉન્ચ કરાશે

`ભાજપ દલિત-આદિવાસી વિરોધી છે`

સીએમ કેજરીવાલે મોદી સરકાર પર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું અપમાન કરવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે રામ મંદિરના શિલાન્યાસ માટે તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તેમ જ તેમને નવી સંસદના શિલાન્યાસ કાર્યક્રમમાં પણ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તે જ સમયે, નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન પણ વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હાથે કરાવવામાં આવ્યું નથી.

Whatsapp-channel Whatsapp-channel

27 May, 2023 01:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK