Ajit Pawar Death in Baramati Plane Crash: બારામતી પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું નિધન; પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક; રાજકીય પક્ષોના નેતાઓએ આ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે અને તેની સંપૂર્ણ તપાસની માંગ કરી
પીએમ નરેન્દ્ર મોદીએ અજિત પવાર સાથેની જુની તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે
મહારાષ્ટ્ર (Maharashtra)ના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar)નું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. અજિત પવાર બુધવારે સવારે મુંબઈ (Mumbai)થી બારામતી (Baramati) જવા રવાના થયા હતા, પરંતુ તેમનું વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુથી સમગ્ર દેશમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. આ ભયાનક અકસ્માત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સહિત રાષ્ટ્રીય નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
પુણે (Pune) જિલ્લાના બારામતી વિસ્તારમાં ચાર્ટર વિમાન દુર્ઘટનામાં વરિષ્ઠ નેતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar Death in Baramati Plane Crash)નું મૃત્યુ થયા બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તેમનાના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને "લોકોના નેતા" તરીકે વર્ણવ્યા હતા.
ADVERTISEMENT
પીએમ નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા (Social Media) પોસ્ટમાં લખ્યું છે કે, ‘શ્રી અજિત પવારજી લોકોના નેતા હતા, જેમનો પાયાના સ્તર સાથે મજબૂત સંબંધ હતો. મહારાષ્ટ્રના લોકોની સેવા કરવામાં મોખરે રહેલા મહેનતુ વ્યક્તિત્વ તરીકે તેમનું વ્યાપકપણે સન્માન કરવામાં આવતું હતું. વહીવટી બાબતોની તેમની સમજ અને ગરીબો અને દલિતોને સશક્ત બનાવવાનો જુસ્સો પણ નોંધપાત્ર હતો. તેમનું અકાળ અવસાન ખૂબ જ આઘાતજનક અને દુઃખદ છે. તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.’
श्री अजित पवार जी हे जनतेशी घट्ट नाते असलेले, तळागाळाशी मजबूत नाळ असलेले लोकनेते होते. महाराष्ट्रातील जनतेच्या सेवेत सदैव अग्रभागी राहणारे एक मेहनती व्यक्तिमत्त्व म्हणून त्यांना व्यापक आदर होता. प्रशासकीय बाबींची त्यांना सखोल जाण होती. गरीब आणि वंचितांच्या सक्षमीकरणासाठीची… pic.twitter.com/Rn1E8OXQRm
— Narendra Modi (@narendramodi) January 28, 2026
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ અજિત પવારના અવસાનને વ્યક્તિગત નુકસાન ગણાવ્યું અને કહ્યું કે સમગ્ર NDA પરિવાર શોકગ્રસ્ત પરિવાર સાથે ઉભો છે.
અમિત શાહે લખ્યું છે કે, ‘આજે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને અમારા વરિષ્ઠ NDA સાથી અજિત પવારના એક દુ:ખદ અકસ્માતમાં નિધનના સમાચારથી મને ખૂબ જ દુઃખ થયું છે. છેલ્લા સાડા ત્રણ દાયકાથી મહારાષ્ટ્રના દરેક વર્ગના કલ્યાણ માટે અજિત પવારે જે સમર્પણ કર્યું છે તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં. અમે જ્યારે પણ મળતા ત્યારે તેઓ મહારાષ્ટ્રના લોકોના કલ્યાણને લગતા વિવિધ મુદ્દાઓ પર લાંબી ચર્ચા કરતા. તેમનું નિધન મારા માટે તેમજ NDA પરિવાર માટે વ્યક્તિગત નુકસાન છે. હું પવાર પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ દુઃખની ઘડીમાં, સમગ્ર NDA શોકગ્રસ્ત પવાર પરિવાર સાથે મજબૂત રીતે ઊભું છે. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ શાંતિ.’
आज एक दुःखद हादसे में महाराष्ट्र के उपमुख्यमंत्री और NDA के हमारे वरिष्ठ साथी अजीत पवार जी को खो देने की सूचना से मन अत्यंत व्यथित है।
— Amit Shah (@AmitShah) January 28, 2026
अजीत पवार जी ने बीते साढ़े तीन दशकों में जिस प्रकार महाराष्ट्र के हर वर्ग के कल्याण के लिए खुद को समर्पित किया, उसे शब्दों में व्यक्त नहीं किया…
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh)એ કહ્યું કે તેઓ આ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છે.
રાજનાથ સિંહે પોસ્ટમાં કહ્યું કે, ‘મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી અજિત પવારના અકાળ અવસાન વિશે જાણીને ખૂબ જ આઘાત લાગ્યો અને દુઃખ થયું. તેમના લાંબા જાહેર જીવન દરમ્યાન, તેઓ મહારાષ્ટ્રના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ રહ્યા. તેઓ લોકો પ્રત્યેની તેમની કરુણા અને જાહેર સેવા પ્રત્યેના તેમના અતૂટ સમર્પણ માટે જાણીતા હતા. હું તેમના પરિવાર, શુભેચ્છકો અને પ્રશંસકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું.’
महाराष्ट्राचे उपमुख्यमंत्री श्री. अजित पवार यांच्या अकाली निधनाचे वृत्त ऐकून मला तीव्र धक्का बसला आहे. त्यांचे निधन हे वेदनादायी आहे।
— Rajnath Singh (@rajnathsingh) January 28, 2026
आपल्या संपूर्ण सार्वजनिक जीवनात त्यांनी महाराष्ट्राच्या विकासासाठी आणि समृद्धीसाठी समर्पित भावनेनी कार्य केले।
त्यांना सर्वजण प्रेमाने `दादा`…
કોંગ્રેસ (Congress)ના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)એ લખ્યું છે કે, ‘મહારાષ્ટ્રમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી શ્રી અજિત પવાર અને અન્ય લોકોના અવસાનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે. આદરણીય શરદ પવારજી, સુપ્રિયા સુલેજી, તેમના સમગ્ર પરિવાર અને આદરણીય અજિત પવારજીના સમર્થકો પ્રત્યે ઊંડી સંવેદના.’
महाराष्ट्र में हुई भयानक विमान दुर्घटना में उपमुख्यमंत्री श्री अजीत पवार जी एवं अन्य लोगों के निधन का समाचार अत्यंत दुखद है।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) January 28, 2026
ईश्वर दिवंगत आत्माओं को शांति प्रदान करें। आदरणीय शरद पवार जी, सुप्रिया सुले जी और उनके समस्त परिवार एवं आदरणीय अजीत पवार जी के समर्थकों के प्रति गहरी…
કેન્દ્રીય મંત્રી સીઆર પાટિલ (CR Paatil)એ કહ્યું કે, ‘મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી અજિતભાઈ પવારના અવસાનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. આ એક અપૂર્ણ નુકસાન છે. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર અને સમર્થકોને આ દુઃખના સમયમાં આ ગંભીર નુકસાન સહન કરવાની શક્તિ આપે.’
महाराष्ट्र के उपमुख्यमंत्री श्री अजीतभाई पवार के निधन का समाचार अत्यंत दुःखद है। यह एक अपूरणीय क्षति है।
— C R Paatil (@CRPaatil) January 28, 2026
इस शोकाकुल समय में ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करें और शोक-संतप्त परिजनों तथा समर्थकों को यह गहन दुःख सहने की शक्ति दें।
ॐ शांति।
અજિત પવાર મહારાષ્ટ્રના સૌથી પ્રભાવશાળી રાજકીય નેતાઓમાંના એક હતા અને દાયકાઓ સુધી રાજ્યના રાજકારણમાં એક કેન્દ્રિય વ્યક્તિ રહ્યા. તેમના અચાનક મૃત્યુથી વ્યાપક શોક ફેલાયો છે, ખાસ કરીને તેમના રાજકીય ગઢ બારામતીમાં. એક તરફ અકસ્માતના કારણની તપાસ ચાલુ છે અને બીજી તરફ દેશભરમાંથી શ્રદ્ધાંજલિ અને શોક સંદેશાઓનો વરસાદ ચાલુ છે.


