Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાજસ્થાનના જોધપુરમાં ઍક્સિડન્ટ

રાજસ્થાનના જોધપુરમાં ઍક્સિડન્ટ

28 September, 2019 11:07 AM IST | રાજસ્થાન, જોધપુર

રાજસ્થાનના જોધપુરમાં ઍક્સિડન્ટ

16નાં મોત, 10 ઘાયલ

16નાં મોત, 10 ઘાયલ


જોધપુર : (જી.એન.એસ.) જોધપુરના ગ્રામીણ વિસ્તાર જોધપુર-જેસલમેર રોડ પર આગોલાઈ નજીક ધંધણિયા ગામ રોડ પર આજે એક મોટો અકસ્માત થયો હતો, જેમાં બોલેરો અને બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી તીવ્ર હતી કે બોલેરોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ૧૩ જણનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ ઘટનામાં જોધપુરની મથુરાદાસ માથુર હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન ૩ જણનાં મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં ૧૦ જણ ગંભીર રીતે ઘાયલ છે અને તેમને જોધપુરની મથુરાદાસ માથુર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર શુક્રવારે બપોરે ૧ વાગ્યે એક મિની બસ જેસલમેરથી જોધપુર થઈને આગોલાઈ તરફ આવી રહી હતી અને એક બોલેરોમાં પરિવાર આગોલાઈથી જેસલમેર તરફ જઈ રહ્યો હતો. એ જ સમયે ધંધણિયા ગામ નજીક બન્ને વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે મિની બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો અને બોલેરોનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. એમાં ૧૩ જણનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતને પગલે ઘાયલ લોકોને મથુરાદાસ માથુર હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા, જેમાં ૩ જણનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં ૬ મહિલાઓ, ૯ પુરુષો અને ૧ બાળકનો સમાવેશ છે.
આ ઘટના બાદ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે પણ આ ઘટના વિશે શોક વ્યક્ત કર્યો હતો. અકસ્માત બાદ જોધપુર રેન્જના આઇજી સચિન મિત્તલ, જિલ્લા કલેક્ટર પ્રકાશ રાજપુરોહિત, ગ્રામીણના રાહુલ બરાઠ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પૂછપરછ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2019 11:07 AM IST | રાજસ્થાન, જોધપુર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK