Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Corona Updates: દેશમાં નવા 60,753 કેસ નોંધાયા, 1647 લોકોના મોત

Corona Updates: દેશમાં નવા 60,753 કેસ નોંધાયા, 1647 લોકોના મોત

19 June, 2021 12:28 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 60753 કેસો નોંધાયા છે, જ્યારે 1647 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. જોકે ઓક્ટોબર સુધીમાં ત્રીજી લહેર આવવાની અટકળો પણ ચાલી રહી છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 60,753 નવા કેસો નોંધાયા છે. જ્યારે 1647 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.     

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 60,753 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જ્યારે 1647 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 3,85,137 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. તો બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં 97,743 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, આ સાથે કુલ રિકવર કેસનો આંકડો 2,86,78,390 પર પહોંચ્યો છે.  




 ભારતમાં અત્યાર સુધીમાં કુલ 2 કરોડ 98  લાખ કરતાં પણ વધારે લોકો કોરોનાનો ભોગ બની ચુક્યા છે.  હાલ દેશમાં 7,60,019 લોકો કોરોનાથી સંક્રમિત છે અને કોરોનાની સારવાર લઈ રહ્યા છે.  શુક્રવારે 19,02,009 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. અત્યાર સુધીમાં 38,92,07,637 ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે.


 

 


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2021 12:28 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK