Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચર્ચગેટ-વિરાર વચ્ચે ૧૪ જગ્યાએ સ્પીડનાં નિયંત્રણો હટી ગયાં, વેસ્ટર્ન રેલવેની લોકલોને નિયમિત બનાવવા

ચર્ચગેટ-વિરાર વચ્ચે ૧૪ જગ્યાએ સ્પીડનાં નિયંત્રણો હટી ગયાં, વેસ્ટર્ન રેલવેની લોકલોને નિયમિત બનાવવા

Published : 08 August, 2025 01:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોકલ ટ્રેનોને સાવચેતી અને મેઇન્ટેનન્સનાં પગલાંરૂપે અમુક ચોક્કસ જગ્યા પર ધીમી ગતિએ ચલાવવાનું સૂચન હોય છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વેસ્ટર્ન રેલવેની ટ્રેનો સમયસર દોડે એ માટે ચર્ચગેટથી વિરારના પટ્ટા પર ૧૪ જગ્યાએથી સ્પીડ-રિસ્ટ્રિક્શન્સ દૂર કરવામાં આવ્યાં છે. લોકલ ટ્રેનોને સાવચેતી અને મેઇન્ટેનન્સનાં પગલાંરૂપે અમુક ચોક્કસ જગ્યા પર ધીમી ગતિએ ચલાવવાનું સૂચન હોય છે. ચર્ચગેટ-વિરારની વચ્ચે આવી કુલ ૫૦ જગ્યાઓ છે, જેમાંથી ૧૪ જગ્યા પરથી ગતિનાં નિયંત્રણો દૂર અથવા હળવાં કરવામાં આવ્યાં છે.

૨૪ એપ્રિલથી ૨૫ જુલાઈ સુધીમાં આ કામ કરવામાં આવ્યું હતું. ૧૪માંથી બે જગ્યા માટુંગા રોડ અને માહિમ વચ્ચે છે, બે જગ્યા માહિમ અને બાંદરા વચ્ચે છે. સાંતાક્રુઝ નજીક એક જગ્યાએથી અને અંધેરી યાર્ડમાં એક જગ્યાએથી સ્પીડ-રિસ્ટ્રિક્શન્સ દૂર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત સાંતાક્રુઝ- બાંદરા,  બાંદરા-માહિમ અને માહિમ-માટુંગા સ્ટેશનો વચ્ચે સબર્બન ટ્રૅક અવૉઇડિંગ અપ લાઇન પર એક-એક જગ્યાએથી તેમ જ જોગેશ્વરી-ગોરેગામ તથા સાંતાક્રુઝ-બાંદરા વચ્ચે એક-એક  જગ્યા અને નાયગાંવ-નાલાસોપારા વચ્ચે ૩ જગ્યાએથી સ્પીડ-રિસ્ટ્રિક્શન્સ દૂર કરવામાં આવ્યાં છે.



૧૪ જગ્યાએથી સ્પીડ-રિસ્ટ્રિક્શન્સ દૂર થતાં ચર્ચગેટ-વિરાર વચ્ચેના ટ્રાવેલ-ટાઇમમાં બે મિનિટનો ફરક પડશે. દરેક ટ્રેનમાં બે મિનિટનો સમય બચતાં આખા દિવસની તમામ ટ્રેનોના સંચાલનમાં મોટો ફરક પડી રહ્યો છે એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2025 01:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK