Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક જ દિવસમાં ટિકિટ વગરના ૫૧૦૦ મુસાફરો પાસેથી ૧૩.૫ લાખની વસૂલી

એક જ દિવસમાં ટિકિટ વગરના ૫૧૦૦ મુસાફરો પાસેથી ૧૩.૫ લાખની વસૂલી

Published : 07 August, 2025 07:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોરીવલી પર વેસ્ટર્ન રેલવેનું ઓપરેશન NAMASTE : ૩૦૦ ટિકિટચેકર અને પોલીસના ૫૦ જવાનોએ સપાટો બોલાવ્યો

ગઈ કાલે બોરીવલી સ્ટેશન પર ટિકિટચેકિંગ સ્ટાફ.

ગઈ કાલે બોરીવલી સ્ટેશન પર ટિકિટચેકિંગ સ્ટાફ.


ભારતીય રેલવેના ઇતિહાસમાં પહેલી વાર બન્યું હશે કે એક જ દિવસમાં ટિકિટ વગર મુસાફરી કરતા ૫૧૦૦થી વધુ મુસાફરો પકડાયા હોય અને દંડની રકમ ૧૩ લાખ રૂપિયાને વટાવી ગઈ હોય. વેસ્ટર્ન રેલવેએ ટિકિટ વગર મુસાફરી કરનારા લોકોને પકડવા માટે NAMASTE અભિયાન એટલે કે નમ્રતા (NAM) ઔર (A) સ્ટ્રૉન્ગ (S) ટિકિટ એક્ઝામિનેશન (TE) અભિયાન હાથ ધર્યું છે. એના અંતર્ગત ટિકિટચેકર્સ સરપ્રાઇઝ ચેક કરવા સાથે હાઈ ઇમ્પેક્ટ ચેક કરીને ટિકિટ વગર મુસાફરી કરતા લોકોને પકડે છે. આવા જ એક ચેકિંગ દરમ્યાન ગઈ કાલે બોરીવલી સ્ટેશન પર ટિકિટચેકિંગ સ્ટાફના ૩૦૦ સભ્યો, રેલવે પ્રોટેક્શન ફોર્સના ૩૦ અને ગવર્નમેન્ટ રેલવે પોલીસના ૨૦ જવાનો તહેનાત થયા હતા. તેમણે ગેરકાયદે મુસાફરી કરતા લોકોના ૫૧૯૨ કેસ નોંધીને ૧૩.૫ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.

વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઑફિસર વિનીત અભિષેકે જણાવ્યું હતું કે ‘સામાન્ય દિવસોમાં સબર્બન સેક્શનમાં ૨૬૦૦ કેસ નોંધાય છે અને ૮ લાખ રૂપિયા જેટલો દંડ વસૂલાય છે. આજે માત્ર બોરીવલી સ્ટેશનને જ ટાર્ગેટ કરીને ટિકિટ-ચેકિંગ સઘન બનાવાયું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2025 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK