Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શ્રાવણ મહિનાની કાવડયાત્રામાં ગયેલા બે યુવકો તુંગારેશ્વરમાં તણાયા

શ્રાવણ મહિનાની કાવડયાત્રામાં ગયેલા બે યુવકો તુંગારેશ્વરમાં તણાયા

Published : 05 August, 2025 12:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મિત્રોએ તેમને ખેંચીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં છેલ્લે અંદર ગયેલો યુવાન બચી શક્યો હતો, પણ સચિન અને હિમાંશુ નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા

હિમાંશુ વિશ્વકર્મા (ડાબે) અને  સચિન યાદવ.

હિમાંશુ વિશ્વકર્મા (ડાબે) અને સચિન યાદવ.


નાલાસોપારામાં રહેતા ૧૮ વર્ષના બે યુવાનો કાવડયાત્રામાં ભાગ લઈને તુંગારેશ્વર ગયા હતા, જ્યાં નદીમાં ડૂબી જવાથી તેમણે જીવ ગુમાવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ નાલાસોપારામાંથી ૨૦૦ લોકો કાવડયાત્રામાં જોડાયા હતા. એમાં સચિન યાદવ અને હિમાંશુ વિશ્વકર્મા નામના બે યુવાનોએ પણ ભાગ લીધો હતો. તેઓ અન્ય ૪ મિત્રો સાથે તુંગારેશ્વર પહોંચ્યા હતા. ત્યાંથી પાછા ફરતી વખતે એક મિત્રનો પગ લપસ્યો હતો અને તેની સાથે બીજા બે મિત્રો પણ નદીમાં તણાયા હતા. પાછળ રહેલા મિત્રોએ તેમને ખેંચીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં છેલ્લે અંદર ગયેલો યુવાન બચી શક્યો હતો, પણ સચિન અને હિમાંશુ નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. બચાવ-કામગીરીમાં બન્ને યુવાનોના મૃતદેહ બહાર કાઢીને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2025 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK