Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મણિબેન નાણાવટી વિમેન્સ કૉલેજમાં શરૂ થયું હ્યુમૅનિટીઝ શાખા માટે PhD સેન્ટર

મણિબેન નાણાવટી વિમેન્સ કૉલેજમાં શરૂ થયું હ્યુમૅનિટીઝ શાખા માટે PhD સેન્ટર

Published : 19 June, 2025 09:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેન્ટર PhDના વિદ્યાર્થીઓ માટે હાઇલી ક્વૉલિફાઇડ ગાઇડ્સ અને સ્ટેટ ઑફ ધ આર્ટ લૅબોરેટરી, આધુનિક શૈક્ષણિક પદ્ધતિ મુજબનાં સાધનોથી સજ્જ હશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વિલે પાર્લેની મણિબેન નાણાવટી વિમેન્સ કૉલેજ (MNWC)માં ૨૦૨૫-’૨૬ના શૈક્ષણિક વર્ષથી હ્યુમૅનિટીઝ (માનવશાસ્ત્ર) શાખામાં ડૉક્ટર ઑફ ફિલોસૉફી (PhD) માટેનું સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં સાઇકોલૉજી વિષયમાં PhDનો અભ્યાસ થશે. આ કૉલેજ SNDT વિમેન્સ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. નવા સેન્ટર વિશે જણાવતાં MNWCનાં ટ્રસ્ટી હિમાદ્રી નાણાવટી કહે છે, ‘સાઇકોલૉજી વિષયમાં હાયર સેકન્ડરી, BA અને MA ડિગ્રી તેમ જ PhD લેવલ ઑફર કરતી મુંબઈની ગણતરીની સંસ્થાઓમાંની એક MNWC છે. સેન્ટર PhDના વિદ્યાર્થીઓ માટે હાઇલી ક્વૉલિફાઇડ ગાઇડ્સ અને સ્ટેટ ઑફ ધ આર્ટ લૅબોરેટરી, આધુનિક શૈક્ષણિક પદ્ધતિ મુજબનાં સાધનોથી સજ્જ હશે.’

અહીં ક્લિનિકલ, કૉગ્નિટિવ, ડિજિટલ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ તેમ જ સ્પોર્ટ્‍સ અને ફૉરેન્સિક જેવાં ક્ષેત્રોમાં સાઇકોલૉજીને લગતાં રિસર્ચ કરી શકાશે. KEM હૉસ્પિટલનાં ડૉ. ઉર્વશી શાહના હસ્તે ૧૧ જૂને એ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2025 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK