Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપરમાં સોમવારે કચ્છી નવા વર્ષની ઉજવણી

ઘાટકોપરમાં સોમવારે કચ્છી નવા વર્ષની ઉજવણી

Published : 06 July, 2024 11:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે

એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ

એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ


શ્રી ઘાટકોપર કચ્છ વાગડ વિકાસ સમાજ દ્વારા ઘાટકોપર ગુજરાતી સમાજની પ્રેરણાથી અષાઢી બીજની ઉજવણી કરવામાં આવશે. એમાં મુખ્ય મહેમાન તરીકે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હાજર રહેશે. ઘાટકોપર-ઈસ્ટના ઝવેરબેન પોપટલાલ સભાગૃહમાં ૮ જુલાઈના સોમવારે સાંજે ૭ વાગ્યે આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના લોકોને ઘાટકોપર કચ્છ રત્ન અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે.


આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલાર અને મુંબઈ નૉર્થ ઈસ્ટ લોકસભા બેઠકના ભૂતપૂર્વ સંસદસભ્ય અને લોહાણા સમાજના અગ્રણી મનોજ કોટક હાજર રહેશે.



આ કાર્યક્રમ વિશે શ્રી ઘાટકોપર કચ્છ વાગડ વિકાસ સમાજના ચૅરમૅન પ્રવીણ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સમાજ દ્વારા વીસ વર્ષથી અષાઢી બીજની ઉજવણીમાં વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનારાઓને ઘાટકોપર કચ્છ રત્ન અવૉર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે જુદાં-જુદાં ક્ષેત્રોના ૯ લોકોની સાથે જીવદયાનું ઉત્તમ કામકાજ કરવા બદલ સંયુક્ત રીતે બે બહેનોને સન્માનિત કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2024 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK