Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોરોના વાઇરસ ભારતમાંથી ફેલાયો : ચીનનું નવું જૂઠાણું

કોરોના વાઇરસ ભારતમાંથી ફેલાયો : ચીનનું નવું જૂઠાણું

29 November, 2020 10:43 AM IST | Beijing
Agency

કોરોના વાઇરસ ભારતમાંથી ફેલાયો : ચીનનું નવું જૂઠાણું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચીની વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરાયેલો આ દાવો એ તથ્યનું ખંડન કરે છે, જેમાં વર્ષ ૨૦૧૯ના અંતમાં કોરોના વાઇરસ ચાઇનામાંથી ઉદ્ભવી સમગ્ર વિશ્વમાં પ્રસર્યો હતો. જોકે ચીની વૈજ્ઞાનિકોએ કરેલા દાવા સામે વિશ્વના અનેક વૈજ્ઞાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે. આ વૈજ્ઞાનિકોએ એવું તારણ રજૂ કર્યું હતું કે વાઇરસનું જ્યાં સૌથી પહેલા નિદાન થયું હતું તે ચીનની ભૌગોલિક સ્થિતિના આધાર પર આ વાઇરસની ઉત્પત્તિ ભારત કે બંગલા દેશમાં થવાની સંભાવના વધુ છે. રિપોર્ટમાં એમ જણાવાયું હતું કે વર્ષ ૨૦૧૯ના ઉનાળાના પ્રારંભમાં વાતાવરણમાં વ્યાપેલી ગરમીને કારણે માનવી અને પ્રાણીઓ વચ્ચે વધેલી ક્રિયા-પ્રતિક્રિયા આ વાઇરસના ઉદ્ગમ પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે.

મે, ૨૦૧૯થી જૂન, ૨૦૧૯ દરમ્યાન ઉત્તર-મધ્ય ભારત અને પાકિસ્તાનમાં નોંધાયેલી બીજી સૌથી લાંબી ગરમીની લહેરને પગલે આ વિસ્તારમાં પાણીની અછત સર્જાઈ હતી. જેના કારણે વાનરો જેવાં જંગલી પ્રાણીઓ વચ્ચે જીવલેણ લડાઈઓ થઈ હતી જેના કારણે માનવ અને પ્રાણીઓ વચ્ચે પરસ્પર ક્રિયા-પ્રતિક્રિયામાં વધારો નોંધાયો હતો.



આના પરથી એવું અનુમાન કરાયું હતું કે પ્રાણીઓથી માનવમાં આ અસામાન્ય ગરમી પ્રસરી હોઈ શકે છે. આ રિપોર્ટમાં જણાવાયું હતું કે પ્રથમ વાર જાણ થયા પહેલાં જ કોવિડ-19 અનેક દેશોમાં ફેલાઈ ગયો હતો. વૈજ્ઞાનિકોએ આ તમામ બાબતો પરથી તારણ રજૂ કર્યું હતું કે કોવિડ-19નો રોગચાળો ફેલાયો છે અને વુહાન આ મહામારીના પ્રસારનો એક હિસ્સો માત્ર હતો. જોકે આ દાવાને અનેક વૈજ્ઞાનિકોએ બકવાસ ગણાવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2020 10:43 AM IST | Beijing | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK