અમિત શાહે ગઈ કાલે ભંડારાની સાકોલી ખાતેની સભામાં રાહુલ ગાંધીની ગરીબી હટાવવાની વાતનો જવાબ આપતાં કહ્યું...
અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BPJ)ના વરિષ્ઠ નેતા અમિત શાહે ગઈ કાલે ભંડારાની સાકોલી ખાતેની સભામાં રાહુલ ગાંધીની ગરીબી હટાવવાની વાતનો જવાબ આપતાં કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી કહે છે કે તેમની પાર્ટી ગરીબી હટાવવાનો કાર્યક્રમ લાવશે. લાગે છે કે તેમને વાંચવાનો શોખ નથી. હું તેમને કહેવા માગું છું કે તમારાં દાદી ઇન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીએ પણ વર્ષો પહેલાં દેશમાંથી ગરીબી હટાવવાનું વચન આપ્યું હતું. તમારાં માતા સોનિયા ગાંધીએ પણ લાંબા સમય સુધી રાજ કર્યું હતું, પરંતુ કંઈ બદલાયું નહોતું. આથી તેમની વાતનો કેવી રીતે વિશ્વાસ થઈ શકે? BJP ફરી સત્તામાં આવશે તો નોકરી અને શિક્ષણમાં આરક્ષણ દૂર કરશે એવી ભ્રામક વાતો રાહુલ ગાંધી કરી રહ્યા છે. દેશ જાણે છે કે અમે દસ વર્ષમાં કલમ ૩૭૦ હટાવવાની સાથે અનેક મહત્ત્વના નિર્ણય લીધા. દેશને સક્ષમ બનાવવા માટે અમે કામ કરીએ છીએ. નુકસાન થાય એવું એકેય પગલું નથી લીધું.’