Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મોરારીબાપુની કથામાં ફરકી રહ્યો છે રાષ્ટ્રધ્વજ

મોરારીબાપુની કથામાં ફરકી રહ્યો છે રાષ્ટ્રધ્વજ

Published : 25 October, 2024 12:55 PM | Modified : 25 October, 2024 02:50 PM | IST | Bhavnagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૌરાષ્ટ્રના મહુવાના કાકીડી ગામે ચાલી રહેલી રામકથામાં પ્રવેશદ્વાર પર લહેરાય છે તિરંગો

મોરારીબાપુની કથામાં રાષ્ટ્રધ્વજ

મોરારીબાપુની કથામાં રાષ્ટ્રધ્વજ


કથાસત્સંગમાં સામાન્ય રીતે ધર્મધ્વજ લહેરાતા જોવા મળે છે, પરંતુ સૌરાષ્ટ્રના મહુવાના કાકીડી ગામે ચાલી રહેલી મોરારીબાપુની રામકથામાં પ્રવેશદ્વાર પર તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે. જ્યાં પણ કથા-સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય ત્યાં સામાન્ય રીતે કેસરી, લાલ સહિતના કલરની ધજા-પતાકા લહેરાતી હોય છે; પરંતુ જાણીતા કથાકાર મોરારીબાપુની કાકીડી ગામે ચાલી રહેલી રામકથામાં જેકોઈ સત્સંગી જાય છે તેમને પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ લહેરાતો જોવા મળી રહ્યો છે. રામકથા દરમ્યાન મોરારીબાપુ સામાજિક સમરસતાના પ્રેરક પ્રસંગો કહેતા હોય છે ત્યારે એની સાથોસાથ મોરારીબાપુ રાષ્ટ્રભાવનાને લઈને પ્રસંગ ટાંકતા હોય છે અને રાષ્ટ્રપ્રેમની વાત કરીને ભારત માતાને યાદ કરતા હોય છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2024 02:50 PM IST | Bhavnagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK