Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Bhavnagar

લેખ

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં ભરઉનાળે વરસાદી તોફાન! ૧૪નાં મોત, ૧૬ ઘાયલ; રાજ્યમાં ત્રણ દિવસ રેડ એલર્ટ

Gujarat Unseasonal Thunderstorm: ૧૩ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો; અચાનક આવેલા વરસાદને કારણે રાજ્યભરમાં ૧૪ લોકોના મોત, ૧૬ ગંભીર રીતે ઘાયલ; આગામી ત્રણ દિવસમાં રાજ્યના ૭૫ ટકાથી વધુ વિસ્તારમાં વ્યાપક વરસાદની શક્યતા

07 May, 2025 07:01 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

અખાત્રીજ નિમિત્તે બાંદરા-ભાવનગર વચ્ચે વિશેષ ટ્રેન

ટ્રેનમાં ઍર-કન્ડિશન (AC) ૩ ટિયર અને AC ચૅરકાર હશે. એનું બુકિંગ શનિવારે ૨૬ એપ્રિલે તમામ પૅસેન્જર રિઝર્વેશન કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પરથી થઈ શકશે.

26 April, 2025 11:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા ભાવનગરના પિતા-પુત્રના પરિવારજનોને ભૂપેન્દ્ર પટેલે સાંત્વન આપ્યું હતું.

ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના શૈલેશ કળથિયાના નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન

ભૂપેન્દ્ર પટેલે ભાવનગર જઈને મૃત્યુ પામેલા પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ આપીને પરિવારજનોને સાંત્વન આપ્યું : કેન્દ્રીય પ્રધાન સી. આર. પાટીલ સહિત ગુજરાતના પ્રધાનોએ સુરતમાં શૈલેશ કળથિયાને શ્રદ્ધાંજલિ આપી

25 April, 2025 10:37 IST | Bhavnagar | Gujarati Mid-day Correspondent
ભાવનગરથી કાશ્મીર ગયેલા ગ્રુપના સભ્યોએ કાશ્મીરમાં ગ્રુપ-ફોટો પડાવ્યો હતો.

પહેલાં પપ્પાનો ફોટો પાડી રહેલા દીકરાની છાતી વીંધાઈ ગઈ,પછી પપ્પાને પણ ગોળી વાગી

પતિ અને દીકરાને આતંકવાદીઓએ ગોળી મારી એ જોઈને કાજલ પરમાર બેભાન થઈને ઢળી પડ્યાં : ભાવનગરથી કાશ્મીર ગયેલું ૨૦ વ્યક્તિઓનું ગ્રુપ સાઇટ-સીઇંગ માટે પહલગામ ગયું અને આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતાં નાસભાગ મચી ગઈ

25 April, 2025 06:58 IST | Ahmedabad | Shailesh Nayak

ફોટા

`કોશેટો` નાટકની અદભૂત ક્ષણો જે કેમેરામાં કંડારાઈ છે

રાજકોટમાં `કોશેટો` નાટક જોતાં જ કેન્સર દર્દીઓની પીડા કવિતાનો પરપોટો થઈને ફૂટી

મુંબઈ સહિતના અનેક શહેરોમાં સફળ પ્રયોગો બાદ હવે કેન્સર અને કવિતાને સમાવતું નાટક `કોશેટો` રાજકોટમાં ભજવાયું. આ નાટક દરમિયાન ઉપસ્થિત કેન્સર દર્દીઓની આંખમાં આંસુ હતા. આ નાટક તેઓને પોતીકું લાગ્યું. આવો, આ નાટકની ક્ષણોને વાગોળીએ.

14 November, 2024 12:34 IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent
જલારામ મંદિર, બોરિવલી

આસ્થાનું એડ્રેસ: દરજી પરિવાર સાચવી રહ્યો છે મુંબઈ સ્થિત જલાબાપાના આ મંદિરને

તાજેતરમાં જ બોરિવલી પૂર્વમાં આવેલ જલારામ મંદિરમાં જલારામ બાપા ની ૨૨૫મી જન્મજયંતીની અતિ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. તો, આવો આજે આ નાનકડા પણ છેલ્લા ૪૫ વર્ષથી લોકોની આસ્થાનું એડ્રેસ બનેલા આ મંદિરની જાણી-અજાણી વાતોથી રૂબરૂ થઈએ. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.

12 November, 2024 10:01 IST | Mumbai | Dharmik Parmar
કવિ કરસનદાસ લુહાર

કવિવાર: એક ટેકરી પહેલુંવહેલું નાહી માથાબોળ...! કવિ કરસનદાસ લુહાર

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ. આજે આપણે ગુજરાતી ભાષાના હોનહાર કવિ કરસનદાસ લુહાર વિશે વાત કરવી છે. ભાવનગરના આ કવિ પાસેથી આપણને અનેક સુંદર કવિતા, ગીતો મળ્યાં છે. ‘નિરંકુશ’ ઉપનામધારી આ કવિએ મોટેરા અને બાળકો બંનેને ગમે તેવા કાવ્યો આપ્યા છે. ‘જય જવાન’, ‘લીલો અભાવ’, `જળકફન’ જેવા સંગ્રહો આપનાર આ કવિની કેટલીક કાવ્યકણિકાઓ માણીએ.

26 March, 2024 09:59 IST | Mumbai | Dharmik Parmar
ગાંઠિયા અને ભૂંગળા બટેટા

જ્યાફતઃ બેટેટી-ભુંગળા, દાળપુરી અને પાંવ ગાંઠિયા જેવી મજેદાર વાનગીઓ ભાવનગરની ભેટ

આખા ગુજરાતનો નાસ્તો એક તરફ અને ભાવનગરનો બીજી તરફ. ભાવનગરમાં જાત જાતની ચટણીના આધારે એવો મસ્ત નાસ્તો મળે છે કે ન પૂછોને વાત. એમા ય તે બટેટીને ભુંગળાની વાત આવે ત્યારે ભાવેણાવાસીઓના કાન સરવા થઇ જાય. ભાવનગરના ગાંઠિયા તો આખા વિશ્વમાં પ્રસિધ્ધ છે જ વળી ત્યાં દરરોજ સવારે નાસ્તામાં મળતી દાળ પુરી તો જીભમાં ચટાકો લાવી દે તેવી સ્વાદિષ્ટ હોય છે. તો આજે આપણે વાત કરીશું ભાવગરના નાસ્તાના વૈભવની. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)

23 February, 2024 04:39 IST | Mumbai | Chirantana Bhatt

વિડિઓઝ

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાવનગરમાં આદિ વીર છરી પાલિત સંઘના કાર્યક્રમમાં હાજર

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાવનગરમાં આદિ વીર છરી પાલિત સંઘના કાર્યક્રમમાં હાજર

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 18 ડિસેમ્બરે ભાવનગરમાં આદિ વીર છરી પાલિત સંઘના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે ડોરી કામદાર સમૃદ્ધિ યોજના સહાય કાર્યક્રમ માટે 25000 રૂપિયાનો ચેક પણ આપ્યો હતો.

19 December, 2024 04:21 IST | Ahmedabad
Gujarat Tourism: ભાવનગરના ઉદ્યાનમાં કાળિયાર અને અન્ય પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર

Gujarat Tourism: ભાવનગરના ઉદ્યાનમાં કાળિયાર અને અન્ય પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર

Gujarat Tourism: સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશમાં 1976માં સ્થપાયેલ બ્લેક બક નેશનલ પાર્ક 34.08 કિમીના વિસ્તારમાં ફેલાયેલો છે. સપાટ જમીન, સૂકાં ઘાસ અને કાળિયારનાં ટોળાં હંમેશા આ ઉદ્યાનમાં મુલાકાતીઓને આકર્ષે છે, જે ઘાસની જમીનની ઇકોસિસ્ટમ ધરાવે છે. કાળિયાર, વરુ અને ઓછા ફ્લોરિકન (એક બસ્ટાર્ડ) માટે સફળ સંરક્ષણ કાર્યક્રમો ચાલુ છે. વધુ જાણવા માટે જુઓ આખો વીડિયો...

17 December, 2023 01:06 IST | Gujarat

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK