સ્મૃતિ ઈરાની બન્યાં ભાવનગરનાં મહેમાન, તલવારબાજી કરી
તસવીર સૌજન્યઃ ANI
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભાવનગરનાં મહેમાન બન્યાં હતાં. ત્યારે એક કાર્યક્રમમાં સ્ટેજ પર ચડીને તેમણે તલવારબાજી કરી હતી. તલવારબાજી કરીને કેન્દ્રીય મંત્રીએ અનોખું શૌર્ય બતાવ્યું હતું.
ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મુખ્ય મહેમાન બન્યાં હતાં. ત્યારે તેમણે બધાના આશ્ચર્ય વચ્ચે તલવાર રાસમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ગુરુકુળની વિદ્યાર્થિનીઓ તલવારબાજી કરી રહી હતી ત્યારે સ્મૃતિ ઈરાની વિદ્યાર્થિનીઓ સાથે જોડાઈ ગયાં હતાં. તેમણે બન્ને હાથમાં ખુલ્લી તલવારો લઈને તલવારબાજી કરી હતી.