Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં ૭૫ નમો વડ વન ઊભાં કરવામાં આવશે

ગુજરાતમાં ૭૫ નમો વડ વન ઊભાં કરવામાં આવશે

Published : 22 March, 2022 08:57 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે આંતરરાષ્ટ્રીય વન દિવસે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડનાં વૃક્ષ વાવીને અભિયાનની શરૂઆત કરાવી હતી

ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલ


દેશની આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં ૭૫ નમો વડ વન ઊભાં કરવાના અભિયાનનો ગઈ કાલથી આરંભ થયો છે. પ્રત્યેક વનમાં ૭૫ વડનાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. ગઈ કાલે આંતરરાષ્ટ્રીય વન દિવસે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડનાં વૃક્ષ વાવીને અભિયાનની શરૂઆત કરાવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ઊજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવના ૭૫મા વર્ષે વન વિભાગ વિભાગ દ્વારા નમો વડ વન નિર્માણનું અભિયાન હાથ ધરીને વૃક્ષનું પૌરાણિક મહત્ત્વ વધારવા સાથે ગ્રીન કવર વધારવાના અભિગમને વેગ અપાશે.

ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે ‘વિશ્વ આખું ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા સામે ઝઝૂમે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આપણે ગુજરાતમાં વન સાથે જન જોડીને રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ વનો ઊભાં કર્યાં છે. ફૉરેસ્ટ સર્વે ઑફ ઇન્ડિયાના ૨૦૨૧ના અહેવાલ મુજબ ગુજરાતમાં વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં છેલ્લાં બે વર્ષમાં ૬૯૦૦ હેક્ટરનો વધારો થયો છે. ગુજરાતમાં અંદાજે ૨૫.૧૦ કરોડ વૃક્ષો હતાં એ વધીને હવે ૨૦૨૧ની વૃક્ષ ગણતરી મુજબ ૩૯.૭૫ કરોડ વૃક્ષો થયાં છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2022 08:57 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK