Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાજ્યમાં કોરોના કેસ 14 દિવસમાં થયા બમણા, મરણાંકનો દર ઘટ્યો

રાજ્યમાં કોરોના કેસ 14 દિવસમાં થયા બમણા, મરણાંકનો દર ઘટ્યો

28 May, 2020 07:27 AM IST | Mumbai
Agencies

રાજ્યમાં કોરોના કેસ 14 દિવસમાં થયા બમણા, મરણાંકનો દર ઘટ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોવિડ-19ના દર્દીઓની સંખ્યા તો વધી રહી છે. દર્દીઓ બમણા થવાનો સમય જે પહેલાં લાગતો હતો એ હવે વધ્યો છે. કોવિડ-19ના દર્દીઓની સંખ્યા બમણી થવાનો આંક હવે ૧૪ દિવસ જેવો થયો છે. આ સાથે ડેથ રેટમાં પણ ઘટાડો થયો છે. ચીફ સેક્રેટરી અજૉય મેહતાના જણાવ્યા અનુસાર કોવિડ-19ના દર્દીઓની સંખ્યાના વધતા જતા દરને અંકુશમાં લેવામાં અમે સફળતા મેળવી છે. હવે ૧૪ દિવસમાં દર્દીઓ બમણા થવાનો આંકડો સામે આવ્યો છે. આ અગાઉ માત્ર ત્રણ દિવસમાં દર્દીઓ બમણા થતા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા ૧૭૯૨ જેટલી છે જ્યારે પૉઝિટિવ દર્દીઓ ૫૪,૭૫૮ જેટલા થયા છે.

મંગળવારે યોજાયેલી આ ઑનલાઇન પ્રેસ કૉન્ફરન્સમાં અજૉય મેહતા સાથે હેલ્થ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી પ્રદીપ વ્યાસ અને બીએમસીના કમિશનર આઇ. એસ. ચહલ પણ ઉપસ્થિત હતા.
અજૉય મેહતાએ કહ્યું હતું કે વાઇરસને માત આપો. આ મિશન મુંબઈમાં લાગુ કરવામાં આવ્યું‍ છે. શહેરમાં ૭૫,૦૦૦ જેટલા બેડની કૅપેસિટી પણ વધારવામાં આવી છે. નવી ૨૭ લૅબોરેટરી શરૂ કરવામાં આવી છે. કોવિડ-19ના કારણે ડેથ રેટ હવે ૩.૨ ટકાથી ઘટીને ૩ ટકા થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2020 07:27 AM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK