Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વૈષ્ણોદેવીના યાત્રાળુઓની બસને નડ્યો અકસ્માત : સુરતનાં બે જણનાં મોત

વૈષ્ણોદેવીના યાત્રાળુઓની બસને નડ્યો અકસ્માત : સુરતનાં બે જણનાં મોત

28 January, 2019 11:29 AM IST |

વૈષ્ણોદેવીના યાત્રાળુઓની બસને નડ્યો અકસ્માત : સુરતનાં બે જણનાં મોત

વૈષ્ણોદેવીમાં યાત્રાળુઓની બસ ઊથલી પડ્યા પછી ઘાયલ થયેલા એક યાત્રાળુને હૉસ્પિટલમાં લઈ જતી પોલીસ.

વૈષ્ણોદેવીમાં યાત્રાળુઓની બસ ઊથલી પડ્યા પછી ઘાયલ થયેલા એક યાત્રાળુને હૉસ્પિટલમાં લઈ જતી પોલીસ.


મૃત્યુ પામેલી મહિલાઓમાંથી એક સુરતના પલસાણાની વતની અને હાલ સાઉથ આફ્રિકાના જોહનિસબર્ગની રહેવાસી મીના પીયૂષ પટેલ અને અન્ય મહિલા રમીલા નરેશભાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

સુરતની ટ્રાવેલિંગ કંપનીની બસના લગભગ 26 યાત્રાળુઓ ગઈ કાલે સવારે દસ વાગ્યે વૈષ્ણોદેવીનાં દર્શન કર્યા બાદ અમ્રિતસરમાં વાઘા બૉર્ડર ખાતે બીટિંગ રિટ્રીટ જોવા જતા હતા ત્યારે હાઇવે પર કથુઆ ખાતે બસ ડિવાઇડર સાથે અથડાયા પછી ઊથલી પડી હતી.



આ પણ વાંચો: SCના આદેશનાં છ વર્ષ પછીયે ગીરના સિંહ ગ્વાલિયર નથી પહોંચ્યા


ઈજાગ્રસ્તોને કથુઆ જિલ્લા હૉસ્પિટલમાં અને જમ્મુની સરકારી મેડિકલ કૉલેજની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલોમાં ત્રણ જણની સ્થિતિ ગંભીર છે.


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2019 11:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK