ગાંઠ કૅન્સરની હોય કે સાદી હોય, પરંતુ જો એ મગજમાં હોય કે કરોડરજ્જુ જેવા નાજુક વિસ્તારમાં હોય તો એને દૂર કરવી અઘરી બને છે
પ્રતીકાત્મક તસવીર
રેડિયેશન બેધારી તલવાર છે. શરીર માટે હાનિકારક પણ છે અને કૅન્સર જેવા અસાધ્ય રોગમાં સારવાર પણ છે. અત્યંત સંવેદનશીલ જગ્યા પર આવેલી ગાંઠ, જેને સર્જરીથી કાઢવી શક્ય નથી ત્યાં ઉપયોગી છે સ્ટેરીઓટૅક્ટિક રેડિયોથેરપી. ગાંઠ કૅન્સરની હોય કે સાદી હોય, પરંતુ જો એ મગજમાં હોય કે કરોડરજ્જુ જેવા નાજુક વિસ્તારમાં હોય તો એને દૂર કરવી અઘરી બને છે. આવા સમયમાં સ્ટેરીઓટૅક્ટિક રેડિયોથેરપી દ્વારા હાઈ ડોઝ આપીને બને એટલી ઓછામાં ઓછી સાઇડ ઇફેક્ટ દ્વારા સારાં રિઝલ્ટ મળી શકે છે. આજે ઇન્ટરનૅશનલ ડે ઑફ રેડિયોલૉજી નિમિત્તે વિસ્તારથી જાણીએ આ વિશે



