Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Cancer

લેખ

 લૉરા કોલમૅન-ડે

પતિની યાદમાં આ મહિલા વેડિંગ ગાઉન પહેરીને લંડન મૅરથૉન દોડી

ગયા રવિવારે લંડનમાં યોજાયેલી મૅરથૉનમાં લૉરા કોલમૅન-ડે નામની ૨૬ વર્ષની મહિલા લ્યુકેમિયાને કારણે મૃત્યુ પામેલા પતિની યાદમાં મૅરથૉન દોડી હતી. ગયા વર્ષે તેના પતિ જૅન્ડરે લ્યુકેમિયા તરીકે ઓળખાતા એક પ્રકારના બ્લડ-કૅન્સરને કારણે જીવ ગુમાવ્યો હતો.

04 May, 2025 06:47 IST | London | Gujarati Mid-day Correspondent
બાળકી તેના માતા પિતા સાથે (તસવીર: સોશિયલ મીડિયા)

મધ્યપ્રદેશમાં મગજની ગાંઠથી પીડિત 3 વર્ષની બાળકીનું જૈન `સંથારા` વિધિ પછી મૃત્યુ

"મહારાજજીએ મારી દીકરીની હાલત જોઈ અને અમને કહ્યું કે છોકરીનો અંત નજીક છે અને તેને સંથારા વ્રત કરાવવું જોઈએ. જૈન ધર્મમાં આ વ્રતનું ખૂબ મહત્ત્વ છે. તેના વિશે વિચાર કર્યા પછી, અમે આખરે તે કરવા માટે સંમત થયા," તેમણે કહ્યું.

04 May, 2025 06:43 IST | Bhopal | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

આંતરડાના કૅન્સરથી બચવા માટે જિનેટિક ટેસ્ટ ઘણી ઉપયોગી છે

આંતરડાનું કૅન્સર પેટમાં થતા અલગ-અલગ અંગોમાંનાં કૅન્સરમાંથી એક છે જેનું જલદી નિદાન કરવું મુશ્કેલ છે, કારણ કે એનાં ચિહ્નો પહેલા સ્ટેજમાં બહાર દેખાતાં નથી. ખાસ કરીને આ રોગ વંશાનુગત હોઈ શકે છે એ યાદ રાખવું.

29 April, 2025 02:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તાહિરા કશ્યપ

બ્રેસ્ટ-કૅન્સર સામેની લડત પછી આવી ગઈ છે તાહિરા 3.0

આયુષમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ બ્રેસ્ટ-કૅન્સર સામેનો જંગ જીતી ગઈ

26 April, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

પ્રતીકાત્મક તસવીર

MEDSRX ૬ અક્ષરની આ ફૉર્મ્યુલા કૅન્સર થતું અટકાવે છે?

થોડા સમય પહેલાં એક પૉડકાસ્ટમાં કૅન્સર-હીલર ડૉ. તરંગ કૃષ્ણાએ કૅન્સર સાથે સંકળાયેલી માન્યતાઓ, ટ્રીટમેન્ટ અને લક્ષણો સંબંધિત વાતચીત કરી હતી અને એ દરમ્યાન કૅન્સરના રિસ્કને ઓછું અથવા તો નહીંવત્ કરવા માટેની ફૉર્મ્યુલાની છણાવટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે MEDSRX ફૉર્મ્યુલાને અપનાવશો તો તમારી રોગપ્રતિકારક શક્તિ એ પ્રમાણે બિલ્ડ થશે કે કૅન્સર તમને ટચ પણ નહીં કરી શકે. આ સાથે તેમણે જણાવેલી છ અક્ષરની ફૉર્મ્યુલાને સરળ શબ્દોમાં સમજાવતાં કહ્યું હતું, ‘શરીરમાં કૅન્સરના સેલ્સ ડેવલપ ન થાય એ માટે MEDSRXને જીવનમાં અપનાવવું બહુ જરૂરી છે. એમાં રહેલો પહેલો લેટર M એટલે મેડિટેશન કરવું જોઈએ. આપણી ઇન્ટર્નલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ માટે યોગ મહત્ત્વનો ભાગ ભજવે છે. પછી E એટલે એક્સરસાઇઝ. દરરોજ યોગ કરવા જોઈએ અથવા જિમ જવું જોઈએ.

30 April, 2025 06:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આજનાં વન્ડર વુમન છે ડૉ. પ્રો. પારુલ શાહ (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

કૅન્સર સામે જીત મેળવી 73ની વયે પણ ભરતનાટ્યમ માટે જીવન સમર્પિત કર્યું પારુલ શાહે

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. ભારત તેના સાંસ્કૃતિક વારસા અને  ઇતિહાસ માટે જાણીતો છે. નૃત્યની કલા હોય કે પછી શાસ્ત્રીય ગાયન દરેકની પરંપરાઓ અનેક સદીઓથી ચાલતી આવી રહી છે, જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આ પરંપરાઓ અને કલામાં વ્યવસાયીકરણ આવ્યું છે, ક્યારેક લાગે કે કલા ભૂંસાઈ રહી છે અથવા તો તેમાં માત્ર પ્રયોગાત્મક કામ થાય છે. જો કે સદનસીબે સાવ એવું નથી. ભારતમાં સાત શાસ્ત્રીય નૃત્ય છે અને તેમાં ‘ભરતનાટ્યમ’સૌથી જુનું ગણાય. દેવદાસીની પ્રથામાંથી મંચ સુધી પહોંચેલા આ નૃત્યની સફર કમાલની છે. આમ તો દેશમાં ભરતનાટ્યમના ઘણાં એક્સપોનન્ટ્સ છે, દરેકની આગવી જર્ની પણ છે પણ આજે આપણે વાત કરીશું ડૉ. પારુલ શાહની, જેમણે ભરતનાટ્યમમાં પીએચડી કર્યું, તેનું શિક્ષણ આપ્યું અને આજે રિટાયરમેન્ટને એક દાયકા કરતાં વધુ સમય થયો હોવા છતાં કલા સેવાને અટકાવી નથી. તેમના જીવનમાં કેન્સર જેવો મોટો અવરોધ આવ્યો અને જિંદગીનો તાલ બેતાલો થયો છતાં પણ તેમની હિંમત અને નિશ્ચય શક્તિ લેખે લાગી. તે એક એવાં વન્ડર વુમન છે જેઓ  સતત ‘ભરતનાટ્યમ’સાથે વધુમાં વધુ લોકો સાથે જોડવાનો કાર્યશીલ છે. ગુજરાતના એક અપર મિડલક્લાસ ફૅમિલીમાં જન્મેલા ડૉ. પ્રો. પારુલ શાહ જેઓ 75 ની વયે પણ ફિટ રહેવાની સાથે ભરતનાટ્યમના પ્રશિક્ષણ કલાને આગળ વધારી રહ્યાં છે.

13 March, 2025 06:59 IST | Mumbai | Viren Chhaya
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાગેશ્વર ધામની મુલાકાત લીધી હતી (તસવીરો: પીટીઆઇ)

Photos: બાગેશ્વર ધામમાં પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું કૅન્સર હૉસ્પિટલનું શિલાન્યાસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 23 ફેબ્રુઆરી 2025ના રોજ બપોરે બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. અહીં, તેમણે પ્રાર્થના અને બાલાજી મંદિરની મુલાકાત લીધા પછી, કૅન્સર હૉસ્પિટલનું શિલાન્યાસ કર્યું હતું. આ દરમિયાન બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને મધ્યપ્રદેશના મુખ્યના પ્રધાન મોહન યાદવ પણ તેમની સાથે હાજર હતા. બાગેશ્વર ધામ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલું છે.

24 February, 2025 07:06 IST | Bhopal | Gujarati Mid-day Online Correspondent
આ આર્ટવર્ક માટે ડૉ. બાલારામને અમેરિકન સોસાયટી ફૉર માઇક્રોબાયોલૉજીની અગર આર્ટ કૉન્ટેસ્ટમાં પ્રાઇઝ મળ્યું હતું.

ખતરનાક બૅક્ટેરિયામાંથી બ્યુટિફુલ આર્ટ

જે બૅક્ટેરિયાને વિલન સમજીને એને મારવા અને ખતમ કરવાના રિસર્ચ પાછળ મેડિકલ વિશ્વમાં લાખો અને કરોડો રૂપિયાનું આંધણ થાય છે એ જ બૅક્ટેરિયાનો ઉપયોગ કરીને ઓડિશાના માઇક્રોબાયોલૉજિસ્ટ ડૉ. બાલારામ ખમારી સુંદર કલાનું સર્જન કરે છે. પ્રત્યેક બૅક્ટેરિયાની ખાસિયત સમજીને ચોક્કસ માધ્યમમાં અને ચોક્કસ તાપમાને રાખતાં એમાંથી અત્યંત સુંદર આર્ટ પીસ ઊભરી આવે છે.

05 January, 2025 08:27 IST | Mumbai | Sejal Patel

વિડિઓઝ

Poonam Pandey Death Hoax: AICWA પ્રમુખે એફઆઈઆરની માંગણી કરી

Poonam Pandey Death Hoax: AICWA પ્રમુખે એફઆઈઆરની માંગણી કરી

ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશનના પ્રમુખ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ અભિનેત્રી પૂનમ પાંડેને ફટકાર લગાવી છે. પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા પર તેના મૃત્યુની અફવા ફેલાવી. જે પાછળથી તેણે સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ લાવવાનો દાવો કર્યો.

04 February, 2024 01:31 IST | Mumbai
Sit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી

Sit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી

પત્રકાર મયંક શેખર સાથે 'બર્ફી' અને 'જગ્ગા જાસુસ' જેવી અફલાતૂન ફિલ્મો બનાવનાર ડાયરેક્ટર અનુરાગ બાસુએ માંડીને વાત કરી ત્યારે તેમણે યાદ કર્યા એ દિવસો જ્યારે તે કેન્સર સામે જંગ લડી રહ્યા હતા, જાણો આ સર્જનાત્મક ડાયરેક્ટરના મનમાં શું મથામણ હતી જ્યારે તે જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઇ રહ્યા હતા.

30 December, 2020 11:30 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK