કેબીસીનું શૂટિંગ કરવાને લઈને નિંદા કરનાર ફૅન્સને જડબાતોડ જવાબ આપ્યો
લોકડાઉનમાં ‘કૌન બનેગા કરોડપતિ’ના પ્રોમોનું શૂટિંગ કર્યા બાદ નિંદા કરનારા લોકોને અમિતાભ બચ્ચને સણસણતો જવાબ આપ્યો છે. કોરોનાના કેરને કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે. અમિતાભ બચ્ચને ઘરમાં જ શૂટિંગ કર્યું હતું. એવામાં લોકોએ અમિતાભ બચ્ચનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. એ બધાને જવાબ આપતાં બ્લૉગ પર અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘હા, મેં કામ કર્યું હતું. એનાથી પ્રૉબ્લેમ હોય તો એને તમારા સુધી જ સીમિત રાખો. લૉકડાઉનમાં અહીં કંઈ પણ કહેવાનો પ્રયાસ ન કરો. અમે પૂરતી સાવધાની રાખી હતી. બે દિવસનું શેડ્યુલ હતું જેને અમે એક દિવસમાં પૂરું કર્યું હતું. સાંજે 6 વાગ્યે શરૂ કરીને જલદી જ પૂરું કરી લીધું હતું.’