'ધ કસીનો' દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે કરણવીર બોહરા
કરણવીર બોહરા
કરણવીર બોહરા ‘ધ કસીનો’ મારફત ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાનો છે. ૧૦ એપિસોડની આ વેબ-સિરીઝ ZEE5 પર શરૂ થવાની છે. આ વિશે કરણવીર બોહરાએ કહ્યું હતું કે ‘કલાકારો માટે આ ખૂબ સારો સમય ચાલી રહ્યો છે કારણ કે ડિજિટલ પ્લૅટફૉર્મને કારણે જ કન્ટેન્ટમાં વિકાસ જોવા મળ્યો છે. અમે હવે કોન્સેપ્ટ્સ સાથે એક્સપેરિમેન્ટ કરી શકીએ છીએ. દરેક વર્ગનાં દર્શકો માટે કન્ટેન્ટ બનાવી શકીએ છીએ. સાથે જ આ માધ્યમ પર કલાકારને કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી હોતો. હું ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રીને લઇને ખૂબ જ ઉત્સાહિત છું કારણ કે ZEE5 પર શરૂ થનાર ‘ધ કસીનો’ એક અલગ પ્રકારની સીરિઝ છે. મારા પાત્રમાં ઘણાં શેડ્સની સાથે ખૂબ ઝીણવટપૂર્વક કામ કરવામાં આવ્યુ છે. આ અગાઉ મેં કદી પણ આવુ પાત્ર નથી ભજવ્યું. દર્શકો એને કેવો પ્રતિસાદ આપે છે એ જાણવા માટે પણ હું ઉત્સાહિત છું. એમાં કસીનોનાં ગેરલાભ દેખાડવામાં આવશે જેને આજ દિન સુધી ભારતનમાં નથી દેખાડવામાં આવ્યું. એમાં ગેમ્બલરનાં વિશ્વને દેખાડવામાં આવશે.’