The Traitors: ડિવોર્સના ૧૧ વર્ષ પછી સાથે આવશે કરણ સિંહ ગ્રોવર અને જેનિફર વિન્ગેટ; કરણ જોહરના રિયાલીટી શોમાં લેશે ભાગ; બન્નેને સાથે જોવા માટે ફેન્સ ઉત્સુક
કરણ સિંહ ગ્રોવર અને જેનિફર વિન્ગેટની ફાઇલ તસવીર (ડાબે), કરણ જોહર
કરણ સિંહ ગ્રોવર (Karan Singh Grover) અને જેનિફર વિન્ગેટ (Jennifer Winget) એક સમયે ટેલિવિઝનના પ્રખ્યાત કપલ હતા. બંનેના લગ્ન થયા હતા, પરંતુ થોડા સમય પછી તેમનો સંબંધ સમાપ્ત થઈ ગયો અને તેમણે ડિવોર્સ લઈ લીધા હતા. હવે મીડિયા રિપોર્ટ્સ દાવો કરી રહ્યા છે કે છૂટાછેડાના લગભગ ૧૧ વર્ષ પછી, કરણ સિંહ ગ્રોવર અને જેનિફર વિન્ગેટ બંને ફરી એકવાર સાથે જોવા મળી શકે છે.
ટીવીની સૌથી રૉમેન્ટિક અને ચાહકોની મનપસંદ જોડી કરણ સિંહ જોહર અને જેનિફર વિન્ગેટ મીડિયા અહેવાલો પ્રમાણે, કરણ જોહર (Karan Johar)ના આગામી રિયાલિટી શો ‘ધ ટ્રેટર્સ’ (The Traitors)માં સાથે દેખાવાના છે. ૧૧ વર્ષ પહેલાં તેમના છૂટાછેડા પછી પહેલીવાર તેઓ સાથે જોવા મળશે. બંને સ્ટાર્સ વચ્ચેના ઇતિહાસને ધ્યાનમાં લેતા, આ સમાચારે ઘણો ઉત્સાહ પેદા કર્યો છે. આ રિયાલીટી શો વધુ મજેદાર બનશે તેવું લાગે છે.
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરણ સિંહ ગ્રોવર અને જેનિફર વિન્ગેટ કરણ જોહરના આગામી રિયાલિટી શો `ધ ટ્રેટર્સ`માં જોવા મળી શકે છે. બંનેએ આ શોનો ભાગ બનવા માટે સંમતિ આપી છે. જોકે, નિર્માતાઓ દ્વારા હજુ સુધી સ્પર્ધકોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શોમાં રાજ કુન્દ્રા (Raj Kundra), રફ્તાર (Raftar), અપૂર્વ મુખિજા (Apoorva Mukhija), મુનાવર ફારૂકી (Munawar Farooqui), ઉર્ફી જાવેદ (Urfi Javed), કરણ કુન્દ્રા (Karan Kundra) અને જાસ્મીન ભસીન (Jasmin Bhasin) જેવા ઘણા પ્રખ્યાત ચહેરાઓ પણ જોવા મળી શકે છે.
રિયાલિટી શો `ધ ટ્રેટર્સ`ની વાત કરીએ તો, આ શો આંતરરાષ્ટ્રીય સ્તરે તેના નાટક, ઝઘડા અને ક્યારેય ન સમાપ્ત થતા વિવાદો માટે જાણીતો છે. આ શો ૧૨ જૂનથી પ્રાઇમ વિડિયો (Prime Video) પર સ્ટ્રીમ થશે. આ શો એક લોકપ્રિય આંતરરાષ્ટ્રીય રિયાલિટી શોનું ભારતીય રૂપાંતર છે.
તમને જણાવી દઈએ કે, કરણ સિંહ ગ્રોવર અને જેનિફર વિન્ગેટ પહેલી વાર ટીવી શો ‘દિલ મિલ ગયે’ (Dill Mill Gayye)માં સાથે જોવા મળ્યા હતા. આ શો દરમિયાન તેમના અફેરના સમાચાર પણ પ્રકાશમાં આવ્યા હતા. શોના સેટ પર બંને પ્રેમમાં પડ્યા અને થોડા સમય માટે ડેટિંગ કર્યા પછી, તેમણે ૨૦૧૨માં લગ્ન કર્યા. જોકે, લગ્નના માત્ર બે વર્ષ પછી, ૨૦૧૪ બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો. છૂટાછેડા પછી, કરણ સિંહ ગ્રોવર બિપાશા બાસુ (Bipasha Basu)ને ફિલ્મ `અલોન` ના સેટ પર મળ્યો. બંનેએ એક વર્ષ પછી ૩૦ એપ્રિલ ૨૦૧૬ના રોજ લગ્ન કર્યા. હવે આ દંપતીને એક પુત્રી પણ છે. તે જ સમયે, જેનિફર વિન્ગેટે હજી સુધી ફરીથી લગ્ન કર્યા નથી.


