રાહિલ આઝમ દિલ જૈસે ધડકે... ધડકને દો’માં નવા લુકમાં જોવા મળશે
રાહિલ આઝમ
‘દિલ જૈસે ધડકે... ધડકને દો’માં દેવગુરુના પાત્ર માટે રાહિલ આઝમ એક નવા લુકમાં જોવા મળશે. આ શો માટે તેણે લગભગ ૧૩ કિલો વજન ઘટાડ્યું છે. મહેશ ભટ્ટનો આ શો સ્ટાર પ્લસ પર ટૂંક સમયમાં શરૂ થવાનો છે. પોતાના પાત્ર માટે કેવી તૈયારી કરી હતી એ વિશે જણાવતાં રાહિલ આઝમે કહ્યું હતું કે ‘મને બાળપણથી સારી ફિઝિક અને ટફ લુકનો શોખ રહ્યો છે. હું ડૉક્ટર દેવગુરુના કૅરૅક્ટરને રજૂ કરવાનો છું. મારા કૅરૅક્ટરના ટ્રાન્સફૉર્મેશન માટે મારી પાસે માત્ર બે મહિના જ હતા. મેં વેઇટ ટ્રેઇનિંગને અટકાવીને યોગ પર ધ્યાન આપ્યું હતું. એક દિવસ મારી મુલાકાત જાણીતા ફિટનેસ-ટ્રેઇનર મોહિત અરોરા સાથે થઈ હતી. તેમના માર્ગદર્શન હેઠળ હું મારો ટાર્ગેટ મેળવવામાં સફળ રહ્યો હતો. આશા રાખું છું કે દર્શકો મારા આ નવા અવતારને પસંદ કરે.’