વત્સલ શેઠે યે રિશ્તે હૈ પ્યાર કે શું કામ સ્વીકારી?
વત્સલ શેઠ
માંજરી આંખોવાળો અને અજય દેવગનની શોધ તરીકે આખા બૉલીવુડમાં પૉપ્યુલર થયેલો વત્સલ શેઠ હવે સ્ટાર પ્લસની ‘યે રિશ્તે હૈ પ્યાર કે’માં દાખલ થવાનો છે. હજી ગયા મહિને જ ત્રીસ દિવસનું લાંબું ગુજરાતી ફિલ્મનું શૂટિંગ શેડ્યુલ લંડનમાં પૂરું કરીને મુંબઈ પાછા આવ્યા પછી વત્સલને આ સિરિયલની ઑફર આવી અને વત્સલે તરત જ સ્વીકારી લીધી. આની પાછળનાં ઘણાં કારણો પૈકીનું એક કારણ છે પૉઝિટિવ રોલ. વત્સલે આ અગાઉ ટીવી પર નેગેટિવ કૅરેક્ટર જ કર્યાં છે ત્યારે આ વખતે તેને મળેલા પૉઝિટિવ રોલનો તે લાભ ઉપાડવા માગતો હોવાથી કોઈ જાતનો વિચાર કર્યા વિના તેણે હા પાડી દીધી. ‘યે રિશ્તે હૈ પ્યાર કે’ ઑલરેડી ચાલુ સિરિયલ છે. વત્સલનો રોલ ત્રણથી ચાર મહિનાનો છે. વત્સલ કહે છે, ‘આને કોઈ કેમિઓ કહે તો એ તેની ભૂલ છે.’