Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > TMKOCના અસિત મોદીની વધશે મુશ્કેલી, જેનીફરે પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યુ નિવેદન

TMKOCના અસિત મોદીની વધશે મુશ્કેલી, જેનીફરે પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યુ નિવેદન

26 May, 2023 02:35 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જ્યારથી જેનિફર મિસ્ત્રી(Jennifer Mistry)એ અસિત કુમાર મોદી(Asit Modi) પર આક્ષેપ લગાવ્યા ત્યારેથી શૉના નિર્માતા ચર્ચામાં છે. એવામાં હવે લાગે છે કે તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

અસિત મોદી અને જેનિફર મિસ્ત્રી

અસિત મોદી અને જેનિફર મિસ્ત્રી


TRP લિસ્ટમાં ટોપ પર રહેલો શો `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` (Taarak Mehta Ka Ooltah Chashmah)આ દિવસોમાં વિવાદોને લઈને ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં કેટલીક ભૂતપૂર્વ અભિનેત્રીઓએ શોના નિર્માતાઓ પર ઘણા આરોપો લગાવ્યા છે. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે જેનિફર મિસ્ત્રી(Jennifer Mistry)એ અસિત કુમાર મોદી(Asit Modi) પર અનેક આરોપો લગાવ્યા. આ પછી અભિનેત્રી મોનિકા ભદોરિયા ખુલ્લેઆમ સામે આવી છે અને અસિત કુમાર મોદી અને નિર્માતાઓ પર ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. અત્યારે તો નિર્માતાની મુસીબતો ઓછી થતી જણાતી નથી.

જેનિફરે નિવેદન નોંધાવ્યુ



અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા વિરુદ્ધ પોતાનું નિવેદન નોંધ્યું છે.  ઈન્ડિયા ટીવી ડૉટ.કૉમ અનુસાર જેનિફરે જણાવ્યું કે તે 6 કલાક પોલીસ સ્ટેશનમાં હતી, જ્યાં તેણે પોતાનું નિવેદન નોંધ્યું છે. જેનિફરે કહ્યું કે હવે પોલીસે તેમનું કામ કરવાનું છે. તે જ સમયે પોલીસે કહ્યું કે જો જરૂર પડશે તો તેઓ ફરીથી બોલાવશે. જેનિફર કહે છે કે તેણે પોતાનું કામ પૂરું કરી લીધું છે. તેણે પોલીસના દરેક સવાલના જવાબ આપ્યા છે.


આ પણ વાંચો: બે-ચાર લીડ ઍક્ટર્સને છોડીને સેટ પર સૌને માનસિક ત્રાસ આપવામાં આવે છે : જેનિફર

જેનિફરે કહ્યું- પૈસા માટે નથી કરી રહી
ANIને આપેલા પોતાના નિવેદનમાં જેનિફરે કહ્યું હતું કે, `હું પૈસા માટે કંઈ નથી કરી રહી, પરંતુ સત્ય બહાર લાવવા માટે કરી રહી છું. અસિતે સ્વીકારવું પડશે કે તેણે મારી સાથે ખોટું કર્યું. અફવાઓ વિશે વાત કરતા જેનિફરે કહ્યું, `સાંભળવામાં આવી રહ્યું છે કે અસિતના મારી સાથે શારીરિક સંબંધ હતા, જે સંપૂર્ણ રીતે અસત્ય છે. તેણે માત્ર શબ્દોથી મને હેરાન કરી છે.`


આ શો વર્ષોથી દરેકનો ફેવરિટ છે
નોંધનીય છે કે, `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` દર્શકોના ફેવરિટ શોમાંથી એક છે. ઘણા વર્ષોથી, ચાહકો આ સીરિયલને ખૂબ પસંદ કરે છે, જેના કારણે આ શો હંમેશા TRP લિસ્ટમાં ટોપ પર રહે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હાલમાં SAB ટીવી પર સૌથી લાંબો સમય ચાલતો શો છે. 2008માં શરૂ થયેલી આ સિરિયલે TRPના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને ઘર-ઘરમાં જાણીતી બની ગઈ.

Whatsapp-channel Whatsapp-channel

26 May, 2023 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK