Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > તારક મહેતાના સેટ પર કોરોનાની એન્ટ્રી, શું આખી સોસાયટી થશે ક્વૉરન્ટીન?

તારક મહેતાના સેટ પર કોરોનાની એન્ટ્રી, શું આખી સોસાયટી થશે ક્વૉરન્ટીન?

28 September, 2020 03:34 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

તારક મહેતાના સેટ પર કોરોનાની એન્ટ્રી, શું આખી સોસાયટી થશે ક્વૉરન્ટીન?

જેઠાલાલ

જેઠાલાલ


નાના પડદાનો સૌથી પ્રખ્યાત અને કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉ દર્શકોનો 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ શૉના દરેક પાત્રોએ પોતાના ફૅન્સના દિલમાં એક જગ્યા બનાવી લીધી છે. આ શૉની ખાસ વાત એ છે કે શૉના બધા કલાકારોની એક અલગ ફૅન ફૉલોઈંગ છે. શૉમાં જેઠાલાલ અને દયાબેનના પાત્રએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. હાલ આ સીરિયલે 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ણાં પ્રવેશ કર્યો છે. ગયા અઠવાડિયે જ તારક મહેતા શૉના 3000 એપિસોડ પૂરા થયા છે અને આ અવસરે મેકર્સે એક પાર્ટીનું આયોજન કર્યું હતું.




ડૉ હાથી ઉર્ફે નિર્મલ સોનીએ શૅર કર્યો પ્રોમો

હાલ આખા વિશ્વમાં કોરોના વાઈરસે આતંક મચાવી દીધો છે. આ ખતરનાક વાઈરસથી લોકો ઘણા ગભરાઈ ગયા છે. તેવી જ રીતે હાલની સ્થિતીને જોઈને તારક મહેતા શૉના આવનારા એપિસોડમાં કોરોના વાઈરસની ગોકુલધામ સોસાયટીમાં એન્ટ્રી થતી જોવા મળવાની છે. સીરિયલના પ્રોમોમાં ઑલ ઈન વન જનરલ સ્ટોરના અબ્દુલને શરદી અને તાવ આવે છે અને તે કોરોના વાઈરસના ચપેટમાં આવી જાય છે. ત્યારે આખી ગોકુલધામ સોસાયટી હેરાન થઈ જાય છે. જ્યારે ડૉ. હાથીને ખબર પડે છે ત્યારે તે અબ્દુલને તપાસે છે અને તાત્કાલિક સોસાયટીમાં મીટિંગ બોલાવવાની માંગ કરે છે અને અબ્દુલમાં કોરોના વાઈરસના લક્ષ્ણો જોવા મળી રહ્યા છે, એવું ડૉ હાથી જણાવે છે. સાથે જ ભીડે, કોમલ સહિત બીજા કલાકારોને પણ આ વાતનો ડર સતાવી રહ્યો છે, કે શું આખી ગોકુલધામ ક્વૉરન્ટીન થશે? આવનારા એપિસોડમાં તમને જાણવા મળી જશે કેવી રીતે ગોકુલધામવાસીઓ આ ગંભીર સંજોગોથી બહાર આવશે.


આ પણ વાંચો : TMKOC: ભીડે માસ્ટરે કરી મહત્વની જાહેરાત, સોનૂના ઈન્સ્ટા અકાઉન્ટથી વીડિયો કર્યો શૅર

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. શૉમાંથી અંજલી ભાભીનો રોલ ભજવતી નેહા મહેતા અને રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરૂચરણ સિંહે આ શૉને બાય-બાય કહીં દીધું છે અને એમની જગ્યા પર સુનૈના ફોજદાર અને બલવિન્દર સિંહ સૂરીએ એન્ટ્રી મારી લીધી છે.

Whatsapp-channel Whatsapp-channel

28 September, 2020 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK