ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કૈંચી ધામની મુલાકાત લીધી ગુરમીત ચૌધરીએ

કૈંચી ધામની મુલાકાત લીધી ગુરમીત ચૌધરીએ

22 March, 2023 03:31 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લા એક વર્ષમાં મને જેકાંઈ મળ્યું એ માટે હું ભગવાનનો આભાર માનું છું - ગુરમીત ચૌધરી

ગુરમીત ચૌધરી

ગુરમીત ચૌધરી

ગુરમીત ચૌધરીએ હાલમાં નૈનીતાલમાં આવેલા નીમ કરોલી બાબાના આશ્રમ કૈંચી ધામની મુલાકાત લીધી હતી. તે હવે ‘મહારાણા’ સિરીઝમાં જોવા મળવાનો છે. તે નીમ કરોલી બાબાનો ફૉલોઅર છે. આ વિશે વાત કરતાં ગુરમીતે કહ્યું કે ‘છેલ્લા એક વર્ષમાં મેં કૈંચી ધામના નીમ કરોલી બાબા આશ્રમની બે વાર મુલાકાત લીધી છે. મારા માટે આ ખૂબ ડિવાઇન અનુભવ રહ્યો છે. આશ્રમ અને મંદિરમાં ખૂબ પાવરફુલ એનર્જી છે. હું એક ઇચ્છા અને કંઈક મેળવવાના ગોલ સાથે આશીર્વાદ લેવા માટે ગયો હતો. મેં નક્કી કર્યું હતું કે જે દિવસે મારો આ ગોલ પૂરો થશે ત્યારે હું ફરી આવીશ અને એ માટે આભાર વ્યક્ત​ કરીશ. અમારી જ્યારે પણ કોઈ ઇચ્છા પૂરી થાય ત્યારે અમે બાબાજી માટે બ્લેન્કેટ ડોનેટ કરીએ છીએ. આ વખતે પણ મેં એ જ કર્યું. છેલ્લા એક વર્ષમાં મને જેકાંઈ મળ્યું એ માટે હું ભગવાનનો આભાર માનું છું. જો તમને આસ્થા ન હોય તો તમે જીવનમાં આગળ ન વધી શકો.’


22 March, 2023 03:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK