Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડેઇઝી શાહનું માનવું છે કોરોનાને ખતમ કરવા વૅક્સિનેશન જ ઉપાય છે

ડેઇઝી શાહનું માનવું છે કોરોનાને ખતમ કરવા વૅક્સિનેશન જ ઉપાય છે

26 April, 2021 11:44 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં દેશમાં કોરોનાના કેસ અનેકગણા વધી ગયા છે

ડેઇઝી શાહ

ડેઇઝી શાહ


ડેઇઝી શાહ કહે છે કે કોરોનાને હરાવવો હોય તો વૅક્સિનેશન જ સચોટ શસ્ત્ર છે. હાલમાં દેશમાં કોરોનાના કેસ અનેકગણા વધી ગયા છે. તો બીજી તરફ લોકોને વૅક્સિન પણ આપવામાં આવી રહી છે. અનેક સેલિબ્રિટીઝે વૅક્સિન લીધી છે. તેઓ લોકોને પણ વૅક્સિન લેવા માટે પ્રેરિત કરે છે. વૅક્સિનની અગત્ય પર ભાર મૂકતાં ડેઇઝી શાહે કહ્યું હતું કે ‘વૅક્સિન આપવાનું અભિયાન એટલા માટે શરૂ કરવામાં આવ્યું કે આ વાઇરસ અને કોરોનાને મહાત આપી શકાય. આ જ એક ઉપાય છે કે જેનાથી આપણે સલામત રહી શકીએ છીએ. લોકો આ વાઇરસનો ભોગ તો બને છે, પરંતુ વૅક્સિન લેવાથી એની અસર ઘટે છે અને અન્યને એનું સંક્રમણ લાગવાની શક્યતા પણ ઓછી થાય છે. કોવિડ-19 ને ખતમ કરવા માટે આ જ એક કારગર ઉપાય છે. સાથે જ આપણે પૂરા વિશ્વમાં પણ વૅક્સિનેશન અભિયાનને પ્રોત્સાહન આપવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2021 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK