સોનુ સૂદની બુકનું નામ આઇ ઍમ નો મસીહા
સોનુ સૂદની બુકનું નામ આઇ ઍમ નો મસીહા
સોનુ સૂદે અગાઉ જાહેરાત કરી હતી કે તે લૉકડાઉન દરમ્યાનના તેના અનુભવ પર બુક લખી રહ્યો છે. જોકે આ બુકને તેણે ‘આઇ ઍમ નો મસીહા’ નામ આપ્યું છે. લૉકડાઉન દરમ્યાન લોકોને પોતાના ઘર સુધી ટ્રેન, બસ અને ફ્લાઇટમાં મોકલનાર સોનુ સૂદે આ દરમ્યાન કેવા-કેવા ઇમોશનનો અનુભવ થયો એ આ બુકમાં લખ્યા છે. આ બુકને ડિસેમ્બરના અંત સુધીમાં લૉન્ચ કરવામાં આવશે. આ વિો સોનુ સૂદે કહ્યું હતું કે ‘લોકોએ ખૂબ જ વિન્રમતાથી મને મસીહા નામ આપ્યું હતું. જોકો હું માનું છું કે હું કોઈ મસીહા નથી. મને મારા દિલે જે કહ્યું હતું એ જ મેં કર્યું હતું. એક માનવી તરીકે આપણી આ જવાબદારી છે કે આપણે બીજાને મદદ કરીએ.’