સુશાંત સિંહ રાજપુતનો વિસેરા રિપોર્ટ આવતા થયો આ ખુલાસો
સુશાંત સિંહ રાજપુતે 14 જૂને આત્મહત્યા કરી હતી
અભિનેતા સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના કેસમાં દરેક પાસાની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. દરેક પાસાને બહુ જ ચીવટથી તપાસવામાં આવી રહ્યાં છે. અભિનેતાના ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, શ્વાસ રુંધાઈ જવાથી તેનું મૃત્યુ થયું હતું. હવે વિસેરા રિપોર્ટમાં પણ આ ખુલાસો થઈ ગયો છે. જેજે હૉસ્પિટલે આપેલ વિસેરા રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એટલે કે અભિનેતાના શરીરમાં કોઈ પ્રકારનું કેમિકલ કે ઝેર નહોતું અને તેનું મૃત્યુ શ્વાસ રુંધાઈ જવાથી જ થયું છે.
જેજે હૉસ્પિટલે મંગળવારે સુશાંતનો વિસેરા રિપોર્ટ આપ્યો હતો. વિસેરા રિપોર્ટ પ્રમાણે અભિનેતાના શરીરમાં કોઈપણ પ્રકારનું કેમિકલ કે ઝેર ન હોવાથી એ સાબિત થયું છે કે તેણે આત્મહત્યા કરી હતી.
ADVERTISEMENT
સુશાંત સિંહ રાજપુતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેના નિધન બાદ કૂપર હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને વિસેરા રિપોર્ટ માટે અવયવો જેજે હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. વિસેરા રિપોર્ટના વિસ્તૃત અહેવાલ પ્રમાણે સુશાંતનું મૃત્યુ એસ્ફિક્સિયાથી થયું છે. એટલે કે, શરીરને પુરતો ઓક્સિજન ન મળવાથી મોત થયું છે. તેનું મૃત્યુ ફાંસી ખાવાથી થયું છે. સુશાંતના પ્રાઈમરી પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ આવેલા આ વિસેરા રીપોર્ટની સહુ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું.
સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના કેસની પોલીસ તપાસ ચાલુ છે અને અત્યાર સુધીમાં પોલીસે 28 લોકોના નિવેદન નોંધ્યા છે. જેમાં અભિનેતાના પરિવારજનો, નજીકના સંબંધીઓ અને ઈન્ડસ્ટ્રીના લોકોનો પણ સમાવેશ છે.