Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંત સિંહ રાજપૂતના પરિવારમાંથી આ સભ્યએ લીધા અંતિમ શ્વાસ, ફૅન્સ થયા દુઃખી

સુશાંત સિંહ રાજપૂતના પરિવારમાંથી આ સભ્યએ લીધા અંતિમ શ્વાસ, ફૅન્સ થયા દુઃખી

17 January, 2023 12:47 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અભિનેતાના પાળતૂ શ્વાનનું થયું નિધન

સુશાંત સિંહ રાજપૂત ફજ સાથે

સુશાંત સિંહ રાજપૂત ફજ સાથે


બોલિવૂડન અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનને હજી અઢી વર્ષ થયા છે. ત્યાં તેના ઘરના વધુ એક સભ્યએ દુનિયાને અલવિદા કહી દીધું છે. આ સભ્ય છે, અભિનેતાનો પાળતૂ શ્વાન ફજ (Fudge). ફજના મૃત્યુના સમાચાર સાંભળીને ફૅન્સ દુઃખી થઈ ગયા છે. સુશાંત તેના પાળતૂ શ્વાનની ખુબ નજીક હતો એ બાબતથી સહુ કોઈ પરિચિત છે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના લગભગ ત્રણ વર્ષ બાદ હવે તેના અબોલા મિત્રએ પણ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. સુશાંતની બહેન પ્રિયંકા સિંહ (Priyanka Singh)એ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા ફજના નિધનની માહિતી આપી છે.



આ પણ વાંચો - સુશાંતના મૃત્યુ બાદ અઢી વર્ષ પછી ફ્લેટને મળ્યો નવો ભાડૂત, રૂપિયા 5 લાખ હશે ભાડું


પ્રિયંકા સિંહે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ કરીને ફજનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. પ્રિયંકાએ ફજની બે તસવીરો શૅર કરી હતી. જેમાંથી એક તસવીરમાં ફજ અને સુશાંત છે તો બીજામાં ફજ પ્રિયંકા સાથે છે. આ તસવીરો શૅર કરવાની સાથે પ્રિયંકાએ કૅપ્શનમાં લખ્યું છે કે, ‘ફજ આખરે તું પણ તારા મિત્ર સાથે રહેવા સ્વર્ગની યાત્રાએ નીકળી ગયો ને. તને બહુ જલ્દી ફૉલૉ કરીશ. ત્યાં સુધી…મારું હૃદય બહુ તૂટી ગયું છે.’


પ્રિયંકાની આ પોસ્ટ જોઈને સ્વર્ગીય અભિનેતાના ફૅન્સ બહુ દુઃખી થયા છે અને ફજના નિધનનું દુઃખ વ્યક્ત કરી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે, ફજ સુશાંતના દિલની ખૂબ નજીક હતો. તે તેમની સાથે રહેતો હતો. એકવાર સુશાંતે ફજ માટે એક ઈમોશનલ પોસ્ટ લખી હતી. વર્ષ ૨૦૧૮માં સુશાંતે ફજ સાથે એક તસવીર શૅર કરી હતી અને તેના કૅપ્શનમાં લખ્યું હતું કે, ‘જો તમે મને યાદ કરો છો, તો મને કોઈ ફરક નથી પડતો કે કોઈ મને ભૂલી જાય. મારો પ્રેમ, મારો ફજ.’ સુશાંતના નિધન બાદ ફજ ખૂબ જ ઉદાસ થઈ ગયો હતો. કેટલાય દિવસો સુધી તેણે ખાવા-ડીવાનું છોડી દીધું હતું અને અભિનેતાના ફોટોની આસપાસ જ ફરતો હતો.

આ પણ વાંચો - સુશાંત સિંહ રાજપૂત મારો ગુરુ હતો : અંકિતા લોખંડે

સુશાંત સિંહ રાજપૂતે ૧૪ જૂન ૨૦૨૦ના રોજ બાંદ્રા સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

17 January, 2023 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK