Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંતનું મર્ડર થયું હોવાનું જણાવ્યું આમિર ખાનના ભાઈ ફૈઝલે

સુશાંતનું મર્ડર થયું હોવાનું જણાવ્યું આમિર ખાનના ભાઈ ફૈઝલે

15 September, 2022 03:38 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સલમાન ખાનના રિયલિટી શો ‘બિગ બૉસ 16’ માટે ફૈઝલને અપ્રોચ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે આ ઑફર ઠુકરાવી દીધી છે.

ફૈઝલ ખાન

ફૈઝલ ખાન


આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ છે અને એ સત્ય વહેલાસર બહાર આવવું જોઈએ. તાજેતરમાં જ એવું જાણવા મળ્યું છે કે સલમાન ખાનના રિયલિટી શો ‘બિગ બૉસ 16’ માટે ફૈઝલને અપ્રોચ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે આ ઑફર ઠુકરાવી દીધી છે. સુશાંતના અવસાનને મર્ડર જણાવતાં ફૈઝલ ખાને કહ્યું કે ‘હું જાણું છું કે તેમનું મર્ડર થયું છે. આ કેસ ક્યારે ઉકેલાશે ક્યારે નહીં એ તો સમય જ જણાવશે. તપાસમાં અનેક એજન્સીઓ જોડાઈ ગઈ છે. અનેક વખત એવું બને છે કે હકીકત બહાર નથી આવતી. મારી ઇચ્છા છે કે સત્ય બહાર આવે અને સૌને એની જાણ થાય.’

આમિર ખાન અને ફૈઝલે ‘મેલા’માં સાથે કામ કર્યું હતું. ત્યાર બાદ પારિવારિક ઝઘડા બાદ તે અલગ રહેવા લાગ્યો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી પણ તે જુદો થઈ ગયો હતો. પોતાના પરિવાર સાથે થયેલા વિવાદ પર પણ તેણે મૌન તોડ્યું છે. એ વિશે ફૈઝલ કહ્યું કે ‘પોતાના જ લોકો સાથે લડવુ મુશ્કેલ હોય છે. જગત સાથે તો કોઈ પણ લડી લે છે. ફૅમિલીએ મને પાગલ ગણાવ્યો. આમિર સાહબે તો ગાર્ડ લગાવી દીધા હતા. મારો ફોન છીનવી લીધો હતો. દુનિયાથી દૂર કરીને મને કેદ કરી રાખ્યો હતો. મને દવાઓ આપવામાં આવતી હતી. મેં એ બધું ઘણો સમય સુધી સહન કર્યું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2022 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK