Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંતના અવસાનને અઢી વર્ષ પસાર થવા છતાં પણ એ ફ્લૅટમાં કોઈ રહેવા નથી માગતું

સુશાંતના અવસાનને અઢી વર્ષ પસાર થવા છતાં પણ એ ફ્લૅટમાં કોઈ રહેવા નથી માગતું

12 December, 2022 03:47 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૦ની ૧૪ જૂને સુશાંતનું એ ફ્લૅટમાં અકાળ અવસાન થયું હતું.

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત


સુશાંત સિંહ રાજપૂતના અવસાનને અઢી વર્ષ પસાર થઈ ગયાં છે એમ છતાં પણ એ ફ્લૅટમાં હજી સુધી કોઈ રહેવા નથી આવ્યું. બાંદરાનો એ ફોર-બીએચકે ફ્લૅટ આજે પણ ખાલી પડ્યો છે અને એનો માલિક હજી સુધી ભાડૂતને શોધી રહ્યો છે. ૨૦૨૦ની ૧૪ જૂને સુશાંતનું એ ફ્લૅટમાં અકાળ અવસાન થયું હતું. એ મકાન જોવા માટે તો અનેક લોકો એની મુલાકાત લે છે, પરંતુ તેમને જ્યારે જાણ થાય છે કે એ ફ્લૅટમાં સુશાંતનું અવસાન થયું હતું તો તેઓ પાછા હટી જાય છે. ૨૦૧૯માં સુશાંત આ આલીશાન ફ્લૅટમાં શિફ્ટ થયો હતો અને એના માટે તે મહિનાના ૪.૫૧ લાખ રૂપિયા ભાડું ચૂકવતો હતો. ફ્લૅટના માલિકે નક્કી કર્યું છે કે તે આ ફ્લૅટ સેલિબ્રિટીઝને નહીં આપે, પછી ભલે એ કેટલી પણ મોટી સેલિબ્રિટી કેમ ન હોય. તે કૉર્પોરેટ પર્સનને આ ફ્લૅટ આપવા માગે છે. 


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2022 03:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK