Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સમન્થાએ શા માટે લોકોની માફી માગી?

સમન્થાએ શા માટે લોકોની માફી માગી?

03 February, 2023 05:12 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સમન્થાને માયોસાઇટિસ નામની બીમારી છે

સમન્થા રૂથ પ્રભુ

સમન્થા રૂથ પ્રભુ


સમન્થાએ શા માટે લોકોની માફી માગી?

સમન્થા રૂથ પ્રભુએ લોકોની માફી માગી છે. એનું કારણ છે કે તેની આગામી ફિલ્મ ‘ખુશી’નું શૂટિંગ અટવાઈ રહ્યું છે. સમન્થાને માયોસાઇટિસ નામની બીમારી છે. એના કારણે તે હાલમાં પોતાનાં કમિટમેન્ટ્સ પૂરાં નથી કરી શકતી. ‘ખુશી’માં તે વિજય દેવરાકોન્ડા સાથે દેખાવાની છે. ૨૩ ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં સચિન ખેડેકર, મુરલી શર્મા, જયરામ, લક્ષ્મી અને રાહુલ રામક્રિષ્ન પણ દેખાશે. ટ્વિટર પર સમન્થાએ ટ્વીટ કર્યું કે ‘અમે ટૂંક સમયમાં ‘ખુશી’નું શૂટિંગ શરૂ કરવાનાં છીએ. વિજય દેવરાકોન્ડાના ફૅન્સ પાસે માફી માગું છું.’ તેના આ ટ્વીટ પર રિપ્લાય આપતાં વિજય દેવરાકોન્ડાએ ટ્વીટ કર્યું કે ‘તું સ્વસ્થ અને ચહેરા પર મોટી સ્માઇલ સાથે પાછી ફરે એની અમે રાહ જોઈએ છીએ.’



દિલ ખુશ હો ગયા


અક્ષયકુમારનું દિલ ખુશ થઈ ગયું છે. એનું કારણ નાગપુરમાં લોકોએ તેને આપેલો પ્રેમ છે. અક્ષયકુમારની ‘સેલ્ફી’ ચોવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે ઇમરાન હાશ્મી, નુસરત ભરૂચા અને ડાયના પેન્ટી લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મના પ્રમોશન વખતે અક્ષયકુમાર અને ઇમરાન હાશ્મી નાગપુર પહોંચ્યા હતા. ત્યાં ભારે સંખ્યામાં આવેલા લોકોને જોતાં આ બન્નેએ સેલ્ફી લીધો હતો. એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી, ‘લોકોની ભીડ જ્યારે આટલી જોવા મળે તો એક સેલ્ફી તો લેવો જ જોઈએ. નાગપુરે આપેલા આટલા પ્રેમ માટે થૅન્ક યુ. દિલ ખુશ હો ગયા.’


ઓછા પૈસા મળતા હોવાથી સિદ્ધાર્થ સાગરે છોડ્યો કપિલનો શો?

કૃષ્ણા અભિષેક બાદ હવે સિદ્ધાર્થ સાગરે પણ ‘ધ કપિલ શર્મા શો’ છોડ્યો છે. ‘ધ કપિલ શર્મા શો’ના એક બ્રેક બાદ કૃષ્ણા આ શોમાં નહોતો આવ્યો. તે ‘બિગ બૉસ’ના બિગ બઝમાં કામ કરી રહ્યો હોવાથી તેણે આ શોને સાઇન નહોતો કર્યો. જોકે ‘બિગ બૉસ’ પૂરો થયા બાદ તે ફરી આ શોમાં જોવા મળશે એવી ચર્ચા છે. જોકે તે ફરી શોમાં આવે એ પહેલાં જ એમાં વધુ એક વિકેટ પડી ગઈ છે. આ શોમાં સિદ્ધાર્થ સાગર વિવિધ પાત્ર ભજવી રહ્યો હતો. આ શોના મેકર્સ સાથે તેની ફીને લઈને મતભેદ થતાં તેણે શો છોડ્યો હોવાની ચર્ચા છે. સિદ્ધાર્થનું માનવું છે કે તેને જોઈએ એટલી ફી આપવામાં નથી આવી રહી અને એથી તેણે શોને બાય-બાય કહેવાનું પસંદ કર્યું છે. તે આ શો માટે મુંબઈમાં શિફ્ટ થયો હતો, પરંતુ હવે તે ફરી દિલ્હી જતો રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2023 05:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK