Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર કપૂર રામ બન્યો એટલે કિશોર કુમાર ન બની શક્યો?

રણબીર કપૂર રામ બન્યો એટલે કિશોર કુમાર ન બની શક્યો?

Published : 12 June, 2026 09:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍક્ટરે કહ્યું કે પરિવારને સ્ક્રિપ્ટ વિશે સંપૂર્ણ સંતોષ નહોતો, પણ ડિરેક્ટર અલગ જ વાત કરે છે

`રામાયણ`માં રણબીર કપૂર

`રામાયણ`માં રણબીર કપૂર


છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી કે રણબીર કપૂર ડિરેક્ટર અનુરાગ બાસુની કિશોર કુમારની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવશે. રણબીર આ ફિલ્મ માટે ભારે ઉત્સાહી હોવા છતાં આ પ્રોજેક્ટ ક્યારેય ફ્લોર પર પહોંચી શક્યો નહોતો. આ ફિલ્મ ન બની શકવાનાં કારણો વિશે સ્પષ્ટતા કરતાં રણબીરે કહ્યું હતું કે ‘બાયોપિકને લઈને અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી રહી હતી. ખાસ કરીને કિશોર કુમારના પરિવારને સ્ક્રિપ્ટ વિશે સંપૂર્ણ સંતોષ નહોતો અને કાસ્ટિંગ સંબંધિત પડકારો પણ હતા. આ કારણોસર ફિલ્મ આગળ વધી શકી નહોતી અને અંતે પ્રોજેક્ટને સ્થગિત કરવો પડ્યો હતો.’

આ ફિલ્મ અટકી જવાનાં કારણો વિશે વાત કરતા અનુરાગ બાસુએ ખુલાસો કર્યો હતો કે ‘રણબીરે ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા સ્વીકાર્યા પછી કિશોર કુમારની બાયોપિકમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો. રણબીર માટે ‘રામાયણ’ અને કિશોર કુમાર બાયોપિક વચ્ચે પસંદગી કરવી ખૂબ જ મુશ્કેલ હતી, પણ તેણે ‘રામાયણ’ને પ્રાથમિકતા આપી.’


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2026 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK