Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રના જ્યોતિર્લિંગ ઘૃષ્ણેશ્વરનાં દર્શન કર્યાં કંગના રનૌતે

મહારાષ્ટ્રના જ્યોતિર્લિંગ ઘૃષ્ણેશ્વરનાં દર્શન કર્યાં કંગના રનૌતે

Published : 27 December, 2025 01:58 PM | Modified : 27 December, 2025 01:58 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કંગના રનૌતે ગઈ કાલે ઔરંગાબાદ ખાતે આવેલા મહારાષ્ટ્રના જ્યોતિર્લિંગ ઘૃષ્ણેશ્વરનાં દર્શન કર્યાં હતાં

કંગનાએ આ દર્શન પછી ત્યાંની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે

કંગનાએ આ દર્શન પછી ત્યાંની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે


કંગના રનૌતે ગઈ કાલે ઔરંગાબાદ ખાતે આવેલા મહારાષ્ટ્રના જ્યોતિર્લિંગ ઘૃષ્ણેશ્વરનાં દર્શન કર્યાં હતાં. કંગનાએ આ દર્શન પછી ત્યાંની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે. કંગનાએ આ તસવીરો સાથે પોતાની મુલાકાતની વિગતો આપતાં કહ્યું છે કે ‘આજે મને ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. ઘણાં એવાં જ્યોતિર્લિંગ છે જ્યાં હું બે-ચાર વખત પણ જઈ ચૂકી છું પરંતુ મહારાષ્ટ્ર, જે ક્યારેક મારું ઘર રહ્યું છે ત્યાં સ્થિત બાબા ઘૃષ્ણેશ્વરનાં દર્શન કરવાનો અવસર આજે મળ્યો. આ મારા માટે અતિ વિશેષ ક્ષણ રહી.’

ઔરંગાબાદ ખાતે આવેલા આ જ્યોતિર્લિંગને અલગ-અલગ ધાર્મિક માન્યતાઓને આધારે ગૃષ્ણેશ્વર, ગિરિષ્નેશ્વર, ઘૃષ્ણેશ્વર તેમ જ ઘુસ્મેશ્વરના નામે પણ ઓળખવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2025 01:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK