અજય દેવગને કહ્યું કે ‘મારી ‘દૃશ્યમ 2’ જ્યારે રિલીઝ થઈ હતી અને એ સુપરહિટ બની હતી ત્યારે પણ હું ઇચ્છતો હતો કે અન્ય ફિલ્મો પણ વધુ સારો બિઝનેસ કરે
અજય દેવગન
શાહરુખ ખાનનું કહેવું છે કે અજય દેવગન હંમેશાં તેની ફૅમિલીના સપોર્ટમાં રહ્યો છે. શાહરુખની ‘પઠાન’ આજે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું બમ્પર ઓપનિંગ બુકિંગ થયું છે. આ વિશે અજય દેવગનને ‘ભોલા’ના ટ્રેલર-લૉન્ચ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. જવાબમાં અજય દેવગને કહ્યું કે ‘મારી ‘દૃશ્યમ 2’ જ્યારે રિલીઝ થઈ હતી અને એ સુપરહિટ બની હતી ત્યારે પણ હું ઇચ્છતો હતો કે અન્ય ફિલ્મો પણ વધુ સારો બિઝનેસ કરે. પૅન્ડેમિકને કારણે ઇન્ડસ્ટ્રી પર ખૂબ અસર પડી હતી. કાશ હિન્દી ફિલ્મો એટલી જલદી સફળ થઈ શકી હોત અને અમે એમાંથી જલદી બહાર આવી શક્યા હોત. હું આશા રાખી રહ્યો છું કે ‘પઠાન’ને અદ્ભુત રિસ્પૉન્સ મળે. આ ફિલ્મના ઍડ્વાન્સ બુકિંગનો ટ્રેન્ડ ખૂબ જોરમાં છે. આશા રાખું છું કે આ ફિલ્મ ખૂબ સારો બિઝનેસ કરે અને ઇન્ડસ્ટ્રીને ફરી ટ્રૅક પર લઈ આવે.’
અજયની આ કમેન્ટ વિશે પૂછતાં શાહરુખ ખાને કહ્યું કે ‘અજય મને અને મારી ફૅમિલીને વર્ષોથી પ્રેમ કરતો આવ્યો છે અને તે હંમેશાં મને સપોર્ટ કરતો રહે છે. તે એક અદ્ભુત ઍક્ટર અને ખૂબ સારો માણસ છે. તે ચૂપ રહે છે, પરંતુ એકદમ સ્ટ્રૉન્ગ છે.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)