સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટને લઈને અનુરાગ કશ્યપે કહ્યું આ...
સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટને લઈને ઊઠેલા વિવાદ પર પોતાના વિચાર માંડતાં અનુરાગ કશ્યપે જણાવ્યું હતું કે મોદી સરકારમાં લોકો અશિક્ષિત છે. દેશમાં સરકારે લાગુ કરેલા આ બિલને કારણે ખાસ્સો વિરોધ થયો છે. આ સંદર્ભે અનુરાગ કશ્યપે ટ્વીટ કર્યું હતું કે ‘સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ ક્યાંય નહીં જાય. આ સરકાર માટે કંઈ પણ પાછું લેવું અશક્ય છે, કારણ કે એ તેમને માટે હાર હશે. આ સરકાર દરેક બાબતને હાર-જીતમાં તોલે છે. તેમનો અહમ્ એવો છે કે બધું બળીને ભલે ખાખ થઈ જાય, પરંતુ મોદી કદી પણ ખોટા ન હોઈ શકે. કેમ? કેમ કે અભણ લોકો આવા જ હોય છે.’