'ડ્રીમ ગર્લ' એક્ટ્રેસ નુશરત ભરૂચાએ ડિપ્રેશન અંગે કર્યો આ ખુલાસો
નુશરત ભરૂચા
ડિપ્રેશનનો શિકાર બનેલી નુશરત ભરૂચાએ જણાવ્યું હતું કે તેને એ વખતે માત્ર એક જ વસ્તુ પર ભરોસો હતો કે જલદી જ બધુ સારુ થઈ જશે. સાથે જ તેનું એમ પણ માનવું છે કે આવા સમયમાં ફૅમિલી અને ફ્રેન્ડ્સનો સપોર્ટ ઘણું મહત્વ ધરાવે છે. ડિપ્રેશન દરમ્યાન કઈ એવી વસ્તુ હતી જે તેને આગળ વધવામાં કામ આવી હતી? આ સવાલનો જવાબ આપતાં નુશરતે કહ્યું હતું કે ‘મારા મતે મારી આસપાસનાં લોકો મારી ફૅમિલી અને ફ્રેન્ડ્સે ખૂબ જ સહકાર આપ્યો હતો. એ લોકો હંમેશાં મારી આસપાસ હતાં. મારી અંદરથી એક જ અવાજ આવતો હતો કે આ પરિસ્થિતિમાંથી પણ હું બહાર આવી જઈશ.
આ પણ વાંચો : અમારી ફિલ્મના સેટ પર હવે પ્લાસ્ટિક જોવા નહીં મળે : વિકી કૌશલ
ADVERTISEMENT
જો હું એમાંથી બહાર ના આવુ તો એ ગંભીર બાબત બની જશે. હું સતત એમ જ માનતી હતી કે જલદી જ બધુ સારુ થઈ જશે. એ વિશ્વાસને કારણે જ હું એ સમસ્યામાંથી બહાર આવી શકી.’