Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હમ દો, હમારે બારહ : ભલા માણસ, આમાં ખરાબ કે ખોટું લાગવા જેવું શું હતું કે વિવાદ શરૂ કર્યો?

હમ દો, હમારે બારહ : ભલા માણસ, આમાં ખરાબ કે ખોટું લાગવા જેવું શું હતું કે વિવાદ શરૂ કર્યો?

19 August, 2022 11:04 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

બે-ચાર દિવસ પહેલાં આ ટાઇટલ સાથેની ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ થયું ‘હમ દો, હમારે બારહ’ અને વિવાદ શરૂ થયો. બધા તૂટી પડ્યા મેકર્સ અને ડિરેક્ટર પર. ડિમાન્ડ શરૂ થઈ ગઈ કે આ પોસ્ટરને હટાવી દેવું જોઈએ, ફિલ્મનું નામ તાત્કાલિક બદલો.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


બે-ચાર દિવસ પહેલાં આ ટાઇટલ સાથેની ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ થયું ‘હમ દો, હમારે બારહ’ અને વિવાદ શરૂ થયો. બધા તૂટી પડ્યા મેકર્સ અને ડિરેક્ટર પર. ડિમાન્ડ શરૂ થઈ ગઈ કે આ પોસ્ટરને હટાવી દેવું જોઈએ, ફિલ્મનું નામ તાત્કાલિક બદલો. આ અમે સાંખી નહીં લઈએ અને બ્લાહ... બ્લાહ...

આમાં ખરાબ લાગવા જેવું કે માઠું લાગવા જેવું હતું શું કે લોકોએ ગોકીરો મચાવી દીધો, એ ખરેખર સમજાતું નથી. ફિલ્મના ટાઇટલમાં ક્યાંય એવી કોઈ વાત નથી, કોઈના ભગવાનને પણ કશું ભૂંડું કહેવામાં નથી આવ્યું. કોઈ ધર્મની મજાક-મસ્તી કે પછી આસ્થાને ઠેસ પહોંચે એવું પણ કોઈએ કર્યું નથી અને એ પછી પણ તરત જ ખરાબ લાગી જાય એ કેવી ખોટી વાત કહેવાય! હું કહીશ કે ચોક્કસપણે કોઈના આરાધ્ય દેવને ક્યાંય વચ્ચે ન જ લાવવા જોઈએ. મૉડર્નાઇઝેશનની વાત સાથે પણ એ વચ્ચે ન આવવા જોઈએ અને વાસ્તવિકતા સમજાવવા કે પછી દર્શાવવા માટે પણ તમે તેમને વચ્ચે લાવો એ યોગ્ય નથી, નથી અને નથી જ. કોઈ પણ ધર્મ કે કોઈ પણ ભગવાનને આ બધામાં વચ્ચે લાવવાની જરૂર નથી. આઇ મસ્ટ સે, જો આ દુનિયામાં સૌથી વધારે મહત્ત્વ મળવું જોઈએ તો એ છે લોકોની ધાર્મિક લાગણી અને એને ક્યારેય નડતર બનવા ન જવું જોઈએ, પણ અત્યારે જે પિક્ચરની આપણે વાત કરીએ છીએ એ પિક્ચર તો ઑલરેડી બીજા જ વિષયને ફોકસ કરે છે અને એ જ વાત તમને એના ટાઇટલ પરથી પણ ખબર પડે છે. ‘હમ દો, હમારે બારહ’ આ ટાઇટલ જ કહે છે કે વસ્તીવધારાની ચર્ચા એમાં કરવામાં આવી છે અને આ વસ્તીવધારાની જે વાત છે એ સૌથી વધારે મુસ્લિમોને લાગુ પડે છે તો સ્વાભાવિક રીતે એમાં જે પરિવાર લેવામાં આવ્યો છે એ મુસ્લિમ પરિવાર છે.



જુઓ, તમે વિશ્વાસ ધરાવતા ન હો તો જઈને એક વખત જૂના આંકડા કાઢીને જોઈ લો કે આઝાદીથી લઈને આ વર્ષ સુધી આ દેશમાં મુસ્લિમ વસ્તીવધારાનો જે ટૉપિક છે એ કેવો અને કેટલો વગોવાયો છે. ટકાવારી પણ મૅચ નથી ખાતી અને વિકાસની વ્યાખ્યા પણ આ એક વિષય પર મૅચ નથી થતી. વધતા જતા પરિવારના મેમ્બર વચ્ચે બને છે એવું કે બાળકોને સાચું શિક્ષણ, સારી સુવિધા કે શ્રેષ્ઠ ઘડતર નથી મળતું. પોષણયુક્ત ખોરાક પણ આ બાળકોના નસીબમાં નથી હોતો અને એ જ કારણે કહેવામાં આવે છે કે બાળકોને જન્મ આપવો એ મહત્ત્વનું નથી, મહત્ત્વનું એ છે કે જન્મ આપ્યા પછી બાળકોને શ્રેષ્ઠ રીતે મોટાં કરો.


આ પ્રકારની ફિલ્મ બનવી જ જોઈએ. શું કામ, એ પણ જાણવા જેવું છે.

આપણા દેશમાં ફિલ્મ સૌથી અસરકારક અને સૌથી અસરદાર માધ્યમ છે, જેના દ્વારા લોકોના જીવનમાં ફરક આવે છે અને આ જ કારણ છે કે આપણે ટૉઇલેટ બનાવવા માટે પણ ફિલ્મનું માધ્યમ પસંદ કરીએ છીએ અને સૅનિટરી પૅડ માટે પણ આપણે ફિલ્મના માધ્યમનો ઉપયોગ કરીએ છીએ. કહેવાનો ભાવાર્થ એ છે કે દરેક ફિલ્મ પોતાના એક ચોક્કસ લક્ષ્ય સાથે આવતી હોય છે. એ લક્ષ્ય જ્યાં સુધી તમને જોવા કે સમજવા ન મળે ત્યાં સુધી એનો વગર કારણે વિરોધ કરવો ગેરવાજબી છે, ખોટું છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2022 11:04 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK