Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > યુવીનો એકમાત્ર મિત્ર સચિન તેન્ડુલકર છે, બાકી બધા પીઠમાં છરા મારનારા અને ડરપોક

યુવીનો એકમાત્ર મિત્ર સચિન તેન્ડુલકર છે, બાકી બધા પીઠમાં છરા મારનારા અને ડરપોક

Published : 06 September, 2025 10:53 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યોગરાજ સિંહનો યુવરાજ સિંહના સાથી પ્લેયરો પર ગંભીર આરોપ...

સચિન તેન્ડુલકર અને યુવરાજ સિંહ

સચિન તેન્ડુલકર અને યુવરાજ સિંહ


ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર યુવરાજ સિંહના પપ્પા યોગરાજ સિંહે યુવીના ભૂતપૂર્વ સાથી પ્લેયરો પર જબરદસ્ત પ્રહાર કર્યા છે. એક ઇન્ટરવ્યુમાં તેમને પૂછવામાં આવ્યું કે ‘એમ. એસ. ધોની પછી વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન બન્યો હતો. તો યુવીનો સારો મિત્ર હોવા છતાં તેણે તેને ટીમમાં વાપસી કરવામાં મદદ કેમ ન કરી?’

આ સવાલનો જવાબ આપતાં યોગરાજ સિંહે કહ્યું હતું કે ‘સફળતા, પૈસા અને ખ્યાતિના ક્ષેત્રમાં કોઈ મિત્રો નથી હોતા, હંમેશાં પીઠમાં છરા મારનારા હોય છે જે તમને નીચે લાવવા માગે છે. લોકો યુવરાજ સિંહથી ડરતા હતા, કારણ કે તેમને પોતાનું સ્થાન ગુમાવવાનો ડર હતો. તે સર્વશક્તિમાન ભગવાન દ્વારા બનાવવામાં આવેલો એક મહાન પ્લેયર હતો.’



યોગરાજ સિંહે વધુમાં કહ્યું હતું કે ‘યુવીનો એકમાત્ર મિત્ર સચિન તેન્ડુલકર હતો, જે મારો અને બધાનો પ્રિય છે. તે મહાન ક્રિકેટર અને મહાન માણસ છે, કારણ કે તે બધાને ભાઈની જેમ સમજીને પ્રેમ કરે છે. તે બધાની પ્રગતિ ઇચ્છે છે એટલે તેને લોકો ભગવાન કહે છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2025 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK