ભારતનો પાકિસ્તાન પ્રવાસ માર્ચ 2004 માં શરૂ થયો હતો, જેમાં મૅચ એપ્રિલ સુધી ચાલુ રહી હતી. આઝાદ કરાચી ટૅસ્ટ માટે સુરક્ષા અંગે ચિંતિત હતા. તેમણે તેમના શાળાના મિત્ર અરુણ સિંહની સલાહ લીધી, જે તે સમયે વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (પાકિસ્તાન વિભાગ) હતા.
સચિન તેન્ડુલકર (મિડ-ડે)
ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ લાંબા સમયથી રમાઈ નથી. છેલ્લે 2004 માં ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. આ ઐતિહાસિક પ્રવાસ અંગે 22 વર્ષ પછી એક મહત્ત્વપૂર્ણ વિગતનો ખુલાસો થયો છે. ભૂતપૂર્વ ગુપ્તચર અને સુરક્ષા અધિકારી યશોવર્ધન આઝાદે તેમના પુસ્તક, ‘પોલિસિંગ ધ રિપબ્લિક: એન ઇનસાઇડ વ્યૂ ઓફ હાઉ ઇન્ડિયા ફાઇટ્સ કરપ્શન એન્ડ ક્રાઇમ, એન્ડ પ્રોટેક્ટ્સ રાઇટ્સ’માં આ ઘટનાઓનું વર્ણન કર્યું છે. તે સમયે, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ ઇચ્છતા હતા કે ભારત કરાચીમાં ટૅસ્ટ મૅચ રમે અને તેના માટે ભારતની સંમતિ માગી હતી. જોકે, સુરક્ષા ચિંતાઓને કારણે કરાચી ટૅસ્ટને મંજૂરી આપવામાં આવી ન હતી. તત્કાલીન નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ પણ સુરક્ષા અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા અહેવાલને પ્રાથમિકતા આપી હતી.
કરાચી અને પેશાવરમાં જોખમ વધુ
ADVERTISEMENT
પાકિસ્તાનમાં ક્રિકેટ સ્થળોની સુરક્ષાનું મૂલ્યાંકન કરવા માટે ત્રણ સભ્યોની સુરક્ષા ટીમની રચના કરવામાં આવી હતી, જેમાં યશોવર્ધન આઝાદ ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. ટીમે પાકિસ્તાનમાં મૅચ રમવાની પરવાનગી આપી હતી, પરંતુ તેણે કરાચી અને પેશાવરમાં ટૅસ્ટ મૅચ યોજવાની સલાહ આપી ન હતી. મુલતાન, રાવલપિંડી અને લાહોરને ટૅસ્ટ મૅચ માટે સલામત માનવામાં આવ્યા હતા. રિપોર્ટ સબમિટ કર્યાના થોડા સમય પછી, આઝાદને `રિસ્ટ્રિક્ટેડ એરિયા એક્સચેન્જ` લાઇન દ્વારા લાલકૃષ્ણ અડવાણીનો ફોન આવ્યો. અડવાણીએ પૂછ્યું, "યશોવર્ધનજી, શું આપણે કરાચીમાં ટૅસ્ટ મૅચ ન રમી શકીએ?" આઝાદે સમજાવ્યું કે કરાચી અને પેશાવરને યાદીમાંથી કેમ બાકાત રાખવામાં આવ્યા છે; તેમના મતે, આ સ્થળોએ જોખમ વધુ હતું, અને ટીમ ત્યાં લાંબા સમય સુધી રહે તો જોખમ વધી શકે છે. ત્યારબાદ અડવાણીએ તેમને સુરક્ષા તારણો પર પુનર્વિચાર કરવા અને આ બાબત IB ડિરેક્ટર સમક્ષ રજૂ કરવા કહ્યું.
મુશર્રફે પોતે ટૅસ્ટ માટે વિનંતી કરી હતી
ભારતનો પાકિસ્તાન પ્રવાસ માર્ચ 2004 માં શરૂ થયો હતો, જેમાં મૅચ એપ્રિલ સુધી ચાલુ રહી હતી. આઝાદ કરાચી ટૅસ્ટ માટે સુરક્ષા અંગે ચિંતિત હતા. તેમણે તેમના શાળાના મિત્ર અરુણ સિંહની સલાહ લીધી, જે તે સમયે વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (પાકિસ્તાન વિભાગ) હતા. અરુણ સિંહે ખુલાસો કર્યો કે કરાચીમાં ટૅસ્ટ મૅચ યોજવાની વિનંતી સીધી પરવેઝ મુશર્રફ તરફથી આવી હતી, જે તત્કાલીન વિદેશ મંત્રી દ્વારા પહોંચાડવામાં આવી હતી. આઝાદના મતે, જો અડવાણી ઇચ્છતા હોત તો તેઓ સુરક્ષા અધિકારીઓના નિર્ણયને રદ કરી શક્યા હોત. જોકે, તેમણે સુરક્ષા સલાહને પ્રાથમિકતા આપી અને મંજૂર પ્રવાસ કાર્યક્રમમાં કોઈ ફેરફાર કર્યો નહીં.
સચિન તેન્ડુલકરે એક વિચિત્ર પ્રશ્ન પૂછ્યો
પુસ્તકમાં સચિન તેન્ડુલકર સાથે સંકળાયેલી એક રસપ્રદ ઘટના પણ જણાવવામાં આવી છે. ઇસ્લામાબાદ ઍરપોર્ટ પર સચિને તેની બાજુમાં બેઠેલા કાળા સૂટમાં સજ્જ અને કાળા બ્રીફકેસ સાથે રહેલા એક સુરક્ષા અધિકારી તરફ ઈશારો કર્યો અને પૂછ્યું કે શું બૅગમાં ‘પરમાણુ બૉમ્બનું બટન’ છે. આઝાદે સમજાવ્યું કે તે જામર હતું. સચિન સંતુષ્ટ ન થાય ત્યાં સુધી તેમને ઘણા પ્રશ્નો પૂછતો રહ્યો. 2004ના આ પ્રવાસ દરમિયાન સૌરવ ગાંગુલીએ ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. ભારતે ODI સિરીઝ 3-2 અને ટૅસ્ટ સિરીઝ 2-1થી જીતી હતી.
