Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > WPLમાં અસ્તિત્વ ટકાવી રાખવા મુંબઈ સામે મેદાનમાં ઊતરશે યુપી વૉરિયર્સ

WPLમાં અસ્તિત્વ ટકાવી રાખવા મુંબઈ સામે મેદાનમાં ઊતરશે યુપી વૉરિયર્સ

Published : 06 March, 2025 10:29 AM | Modified : 07 March, 2025 06:53 AM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બન્ને ટીમ વચ્ચે રમાયેલી ૬માંથી ચાર મૅચ મુંબઈએ અને બે મૅચ યુપીએ જીતી છે. ત્રીજી સીઝનમાં બન્ને ટીમ વચ્ચે આ બીજી ટક્કર છે. પહેલી ટક્કરમાં મુંબઈએ ૮ વિકેટે જીત નોંધાવી હતી

મુંબઈ ઇન્ડિયન્સની કૅપ્ટન હરમનપ્રીત કૌર અને યુપી વૉરિયર્સની કૅપ્ટન દીપ્તિ શર્મા.

મુંબઈ ઇન્ડિયન્સની કૅપ્ટન હરમનપ્રીત કૌર અને યુપી વૉરિયર્સની કૅપ્ટન દીપ્તિ શર્મા.


વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝનની ૧૬મી મૅચ આજે યુપી વૉરિયર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. યુપી વૉરિયર્સની પ્લેઑફમાં પહોંચવાની આશા આ મૅચ પર નિર્ભર છે. લખનઉના એકાના સ્ટેડિયમમાં સોમવારે રમાયેલી પહેલી હોમ ગ્રાઉન્ડ મૅચમાં ગુજરાત જાયન્ટ્સે તેમને ૮૧ રનના મોટા અંતરથી હરાવ્યું હતું. ૬ મૅચમાંથી બે જીત અને ચાર હારને કારણે યુપી વૉરિયર્સની ટીમ ચાર પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં પાંચમા અને અંતિમ સ્થાન પર છે. મુંબઈ ઇન્ડિયન્સની સ્થિતિ વધુ સારી છે અને તેઓ પાંચ મૅચમાં ૩ જીતની મદદથી છ પૉઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે.


બન્ને ટીમ વચ્ચે રમાયેલી ૬માંથી ચાર મૅચ મુંબઈએ અને બે મૅચ યુપીએ જીતી છે. ત્રીજી સીઝનમાં બન્ને ટીમ વચ્ચે આ બીજી ટક્કર છે. પહેલી ટક્કરમાં મુંબઈએ ૮ વિકેટે જીત નોંધાવી હતી. ત્રીજી સીઝન હાલમાં પોતાના અંતિમ તબક્કામાં પહોંચી રહી છે, કારણ કે દરેક ટીમ પોતાની ગ્રુપ-સ્ટેજની આઠ મૅચ પૂરી કરવાની નજીક છે.


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2025 06:53 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK