Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચૅમ્પિયન્સ ટ્રોફીમાંથી ભારત ખસી જાય તો કઈ ટીમને મળશે એન્ટ્રી?

ચૅમ્પિયન્સ ટ્રોફીમાંથી ભારત ખસી જાય તો કઈ ટીમને મળશે એન્ટ્રી?

Published : 18 July, 2024 10:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જો વર્લ્ડ ચૅમ્પિયન ભારત આ ટુર્નામેન્ટમાંથી નામ પરત ખેંચી લેશે તો પાડોશી દેશ શ્રીલંકાની ટીમને અહીં એન્ટ્રીનો ચાન્સ મળશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને હમણાંથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ શરૂ થયો છે. એક તરફ ભારતીય બોર્ડ હાઇબ્રિડ મોડલ પર ટુર્નામેન્ટ રમાડવાની રિક્વેસ્ટ ICCને કરવાની તૈયારી કરી રહ્યું છે, તો બીજી તરફ પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીઓ ભારતીય ટીમને પાકિસ્તાન આવવા માટે રિક્વેસ્ટ કરી રહ્યા છે. આ બધા વચ્ચે જો કોઈ સમાધાન નહીં થાય અને ભારત આ ટુર્નામેન્ટમાંથી નામ ખેંચી લેશે તો કઈ ટીમને એની જગ્યા મળશે?


જો વર્લ્ડ ચૅમ્પિયન ભારત આ ટુર્નામેન્ટમાંથી નામ પરત ખેંચી લેશે તો પાડોશી દેશ શ્રીલંકાની ટીમને અહીં એન્ટ્રીનો ચાન્સ મળશે. શ્રીલંકાની ટીમ વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં નવમા ક્રમે હોવાથી પહેલી વખત ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ક્વૉલિફાય થતાં ચૂકી ગઈ હતી. આ ટીમ ૨૦૦૨માં ભારત સાથે આ ટુર્નામેન્ટની સંયુક્ત ચૅમ્પિયન બની હતી. 


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2024 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK