વેસ્ટ ઇન્ડીઝની ટીમમાંથી સુનીલ નારાયણ બહાર
ચૅમ્પિયન્સ લીગ T20ની ફાઇનલ પહેલાં વેસ્ટ ઇન્ડીઝના ઑફ સ્પિનર સુનીલ નારાયણ સામે બીજી વખત ગેરકાયદે બોલિંગ કરવાનો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. આ અગાઉ સોમવારે ડૉલ્ફિન્સ સામેની મૅચ વખતે પણ તેની વિરુદ્ધ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. મેદાન પરના બે અને થર્ડ અમ્પાયરને એવું લાગ્યું છે કે સુનીલ નારાયણની કોણી નિયત મર્યાદા કરતાં વધુ વળી રહી છે.
ADVERTISEMENT
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ર્બોડે જારી કરેલા પ્રેસ-સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે સુનીલ નારાયણને તેની બૉલિંગ-ઍક્શન સુધારવાનો સમય આપવામાં આવશે જેથી તે ફરીથી ક્રિકેટના મેદાનમાં આવી શકે.
ચૅમ્પિયન્સ લીગ T20માં બૉલિંગ-ઍક્શન પર ઊભા થયેલા વિવાદથી નારાજ થયેલા વેસ્ટ ઇન્ડીઝ ટીમના સિલેક્ટર્સના ચૅરમૅન ક્લાઇવ લૉઇ હ ડે કહ્યું તું હતું કે જે રીતે અમારા શ્રેષ્ઠ બોલરને આ લીગ મૅચોમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે એ પ્રક્રિયા સામે મને વાંધો છે.