Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રાજિન્દર ગોયલને શ્રદ્ધાંજલિ આપી કોહલી અને તેન્ડુલકરે

રાજિન્દર ગોયલને શ્રદ્ધાંજલિ આપી કોહલી અને તેન્ડુલકરે

23 June, 2020 02:35 PM IST | New Delhi
Agencies

રાજિન્દર ગોયલને શ્રદ્ધાંજલિ આપી કોહલી અને તેન્ડુલકરે

રાજિન્દર ગોયલ

રાજિન્દર ગોયલ


ભારતના ભૂતપૂર્વ લેફ્ટ-આર્મ સ્પિનર રાજિન્દર ગોયલને સચિન તેન્ડુલકર અને વિરાટ કોહલીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. રવિવારે ૭૭ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું હતુ. ૨૭ વર્ષની ક્રિકેટ-કરીઅરમાં રાજિન્દર ગોયલે ૧૮.૫૮ની ઍવરેજે ટોટલ ૭૫૦ ફર્સ્ટ-ક્લાસ વિકેટ લીધી હતી. તેઓ ૪૪ વર્ષ સુધી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમ્યા હતા. તેઓ પટિયાલા, દિલ્હી, સાઉથ પંજાબ અને હરિયાણામાંથી રમ્યા હતા, પણ ઇન્ડિયા માટે ક્યારેય નહોતા રમ્યા. જોકે ૧૯૬૪-૬૫માં અમદાવાદમાં રમાયેલી અનઑફિશ્યલ ટેસ્ટમાં સિલોન સામે રમ્યા હતા. બિશન સિંહ બેદી અને તેમની બોલિંગ-સ્ટાઇલ એકસરખી હોવાથી તેમને તક નહોતી મળી. આ વિશે કોહલીએ ટ્વીટ કર્યું હતું કે ‘રાજિન્દર ગોયલજીના સ્વરૂપમાં આપણે એક લેજન્ડ ખોયા છે. રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનારાઓમાં તેમનું નામ છે અને એ જ તેમની કરીઅર કેટલી અદ્ભુત હતી એ આપણને દેખાડે છે. તેમના ફ્રેન્ડ્સ અને ફૅમિલીને મારી સાંત્વના.’

સચિન તેન્ડુલકરે ટ્વીટ કર્યું હતું કે ‘રાજિન્દર ગોયલજીના સમાચાર સાંભળીને દુઃખ થયું છે. તેઓ ઇન્ડિયન ડોમેસ્ટિક ક્રિકેટના ખૂબ જ અદ્ભુત પ્લેયર હતા. તેમણે રણજી ટ્રોફીમાં ૬૦૦થી વધુ વિકેટ લીધી હતી. તેમના આત્માને શાંતિ મળે. તેમના પરિવારજનોના દુઃખમાં હું સહભાગી છું.’


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2020 02:35 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK