Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > LSG vs MI : રિટાયર્ડ હર્ટ કૃણાલ પંડ્યા પર ચિટિંગનો આક્ષેપ, અશ્વિનનો જડબાતોડ જવાબ

LSG vs MI : રિટાયર્ડ હર્ટ કૃણાલ પંડ્યા પર ચિટિંગનો આક્ષેપ, અશ્વિનનો જડબાતોડ જવાબ

Published : 17 May, 2023 04:06 PM | Modified : 17 May, 2023 04:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં કૃણાલ પંડ્યા ૪૯ રન બનાવીને રિટાયર્ડ હર્ટ થઈને મેદાનની બહાર જતો રહ્યો હતો

ફાઇલ તસવીર

IPL 2023

ફાઇલ તસવીર


ઇન્ડિયન પ્રીમિયર લીગ – આઇપીએલ (Indian Premiere League - IPL)માં ગઈ કાલે રમાયેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants)ની ટીમે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ને પાંચ રનથી હરાવી હતી. આ મેચમાં એક એવી ઘટના બની છે જેણે વિવાદ ઉભો કર્યો છે. લખનઉનો કેપ્ટન કૃણાલ પંડ્યા (Krunal Pandya) મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી આઈપીએલ મેચમાં રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો. તેના પર સોશ્યલ મીડિયા યુર્ઝસ ભડકી ગયા છે. જેનો રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin)એ જડબાતોડ જવાબ આપ્યો છે.

કૃણાલ પંડ્યા જ્યારે રિટાયર્ડ હર્ટ થયો ત્યારે તે સમયે ૪૯ રને અણનમ હતો અને તેની અડધી સદીથી માત્ર એક જ રન દૂર હતો. કૃણાલ પંડ્યાએ અચાનક જ મેદાન છોડ્યા બાદ ભારતીય ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને આશ્ચર્ય થયું હતું.



આ પણ વાંચો – LSG vs MI: લખનઉની બૅટિંગનો આરંભ ખરાબ, અંત દમામદાર : સ્ટૉઇનિસના અણનમ ૮૯ રન


ભારતીય ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને સોશિયલ મીડિયા પર એક ટ્વિટ કર્યું છે. ટ્વિટર પર પોતાના ટ્વિટમાં રવિચંદ્રન અશ્વિને લખ્યું, `રિટાયર્ડ આઉટ?`


ભારતીય ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનના આ ટ્વિટ પછી એક વ્યક્તિએ લખ્યું, `આ ફાઉલ છે`, અશ્વિને તે વ્યક્તિને જવાબ આપ્યો અને લખ્યું, `નિયમો તમને આ કરવાની પરવાનગી આપે છે, તેમાં કોઈ ફાઉલ નથી.`

કૃણાલ પંડ્યાને લખનઉ સુપર જાયન્ટ્સની ઈનિંગની ૧૬ ઓવર પૂરી થયા બાદ રન બનાવવામાં મુશ્કેલી થઈ રહી હતી. આવી સ્થિતિમાં તે મેદાન છોડીને પેવેલિયન પરત ફર્યો હતો. ફેન્સને લાગ્યું કે, કૃણાલ પંડ્યાએ ચિટિંગ કરી. જોકે મેચ પછી કૃણાલ પંડ્યાએ જણાવ્યું હતું કે તેના સ્નુઓ ખેંચાઈ રહ્યાં હતા અને તેને તકલીફ થઈ રહી હતી એટલે તેણે રિટાયર્ડ હર્ટનો વિકલ્પ પસંદ કર્યો હતો.

આ પણ વાંચો – લોકો કહેતા કે હું બૉલને ટર્ન નથી કરતો: કૃણાલ

તમને જણાવી દઈએ કે, રિટાયર્ડ હર્ટ ત્યારે માનવામાં આવે છે જ્યારે બેટ્સમેનને ઈજા થઈ હોય અથવા તે બીમાર થઈ ગયો હોય તો તે મેદાનની બહાર જઈ શકે છે અને થોડા સમય પછી બેટિંગમાં પરત આવી શકે છે. રિટાયર્ડ હર્ટ લેવાનો અર્થ એ છે કે ખેલાડી તેના કેપ્ટનની મરજીથી પેવેલિયન પરત ફરે છે. આવી સ્થિતિમાં તે ફરીથી બેટિંગ કરવા નહીં આવી શકે.

Whatsapp-channel Whatsapp-channel

17 May, 2023 04:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK